Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 46
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates “ ધર્મ: || શ્।। ૬।। उत्तमक्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिंचन्यब्रह्मचर्याणि " અર્થાત્ ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય એ ધર્મના દશ પ્રકાર છે. વિનોદ -આ દશ ધર્મોની થોડી સ્પષ્ટતા કરીને સમજાવી શકશો ? 1 જિનેશ – કેમ નહિ? સાંભળો. અનંતાનુબંધી આદિ ત્રણ કષાયના અભાવમાં જ્ઞાની મુનિવરોને જે વિશિષ્ટ ચારિત્રની શુદ્ધ પરિણતિ થાય છે, નિશ્ચયથી તેને ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે દશ ધર્મ કહે છે, અને તે ભૂમિકામાં મુનિવરોને સહજરૂપે જે ક્ષમાદિરૂપ શુભભાવ હોય છે તેને વ્યવહારથી ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ કહે છે જે પુણ્યરૂપ છે. ‘ઉત્તમ ’ શબ્દ ‘નિશ્ચય-સમ્યગ્દર્શનપૂર્વક'નાં અર્થમાં વપરાય છે. નિશ્ચયથી તો ત્રિકાળી ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના ક્રોધના ત્યાગરૂપ શુદ્ધિ તે જ ઉત્તમ ક્ષમા છે. નિશ્ચય ક્ષમાની સાથે રહેનારી, નિંદા અને શીરવાત આદિ અનેક પ્રતિકૂળ સંયોગો આવી પડવા છતાં પણ ક્રોધરૂપ અશુભભાવ ન થતાં શુભભાવરૂપ ક્ષમા થવી તે વ્યવહારથી ઉત્તમ ક્ષમા છે. એવી જ રીતે નિશ્ચયથી તો ત્રિકાળી માર્દવસ્વભાવી આત્માના આશ્રયે અનંતાનુબંધી આદિ ત્રણ પ્રકારના માનના ત્યાગરૂપ શુદ્ધિ તે ઉત્તમ માર્દવ ધર્મ છે તથા નિશ્ચયમાર્દવની સાથે રહેનાર, જાતિ આદિના લક્ષે ઉત્પન્ન આઠ મદરૂપ અશુભભાવ ન થતાં નિરભિમાનરૂપ શુભભાવ થવો તે વ્યવહારથી ઉત્તમ માર્દવ ધર્મ છે. ૪૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55