________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ – આત્મસ્વરૂપને ન જાણનાર મિથ્યાષ્ટિને જે, મતિ, શ્રુત, અવધિજ્ઞાન
હોય છે, તે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ કહેવાય છે, કેમકે મૂળતત્વમાં વિપરીત શ્રદ્ધા હોવાથી તેનું જ્ઞાન મિથ્યા હોય છે. ભલે તેને અપ્રયોજનભૂત લૌકિકજ્ઞાન યથાર્થ હોય પણ પ્રયોજનભૂત તત્વજ્ઞાન
યથાર્થ ન હોવાથી તેનાં તે બધાં જ્ઞાન મિથ્યા જ છે. દર્શનલાલ -શું દર્શનોપયોગના પણ ભેદ હોય છે? જ્ઞાનચંદ – હા, દર્શનોપયોગના ચાર પ્રકાર છે:
(૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન
(૩) અવધિદર્શન (૪) કેવળદર્શન દર્શનલાલ - ચક્ષુદર્શન તો બરાબર છે અર્થાત્ આંખોથી દેખવું તે, પરંતુ અચક્ષુદર્શન
શું છે ? જ્ઞાનચંદ - ના ભાઈ, એમ નથી. ચાઈન્દ્રિય જેમાં નિમિત્ત હોય તે મતિજ્ઞાન
પહેલાં જે સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકન થાય છે તેને ચક્ષુદર્શન કર્યું છે. અને ચક્ષુઈન્દ્રિય સિવાયની બાકીની ચાર ઈન્દ્રિયો અને મન જેમાં નિમિત્ત હોય એવા મતિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય
પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. દર્શનલાલ – બહુ સારું અને અવધિદર્શન? જ્ઞાનચંદ – એવી જ રીતે અવધિજ્ઞાનની પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસને
અવધિદર્શન કહે છે, પરંતુ કેવળદર્શનમાં કાંઈક વિશેષતા છે. દર્શનલાલ - તે શું? જ્ઞાનચંદ - કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય પ્રતિભાસ અર્થાત અવલોકનને
કેવળદર્શન કહે છે. કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં કાળભેદ હોતો નથી. દર્શનલાલ – વાહુ ભાઈ, સરસ સમજાવ્યું, ધન્યવાદ!
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com