Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વિદ્યાર્થી – આ ગૃહીત અને અગ્રહીત એ શી બલા છે? શિક્ષક - જે શિખવ્યા વિના અનાદિથી જ શરીર, રાગાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ છે તે તો અંગૃહીત મિથ્યાત્વ છે અને જે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રના ઉપદેશાદિથી ઊલટી માન્યતા પુર્ણ થાય છે, તે ગૃહીત મિથ્યાત્વ છે. અગૃહીત અર્થાત્ ગ્રહણ નહિ કરેલું અને ગૃહીત અર્થાત્ ગ્રહણ કરેલું. વિદ્યાર્થી – એવી રીતે તો ગૃહીત અને અગૃહીત મિથ્યાજ્ઞાન પણ હોતું હશે? શિક્ષક - હા હા, હોય છે. જીવાદિ તત્ત્વોના વિષયમાં જે અનાદિથી જ અજ્ઞાનપણું છે, તે તો અગૃહીત મિથ્યાજ્ઞાન છે તથા જેમાં વિપરીત વર્ણન દ્વારા રાગાદિનું પોષણ કરવામાં આવ્યું હોય, તે શાસ્ત્રોને સાચાં માનીને અભ્યાસ કરવો તે જ ગૃહીત મિથ્યાજ્ઞાન છે. વિદ્યાર્થી - શું મિથ્યાચારિત્રને પણ એમ જ સમજીએ. શિક્ષક - સમજીએ શું? એમ જ છે. અજ્ઞાની જીવની વિષયોમાં પ્રવૃત્તિ તે જ અગૃહીત મિથ્યાચારિત્ર છે અને પ્રશંસાદિના લોભથી જે બાહ્ય આચાર પાળવામાં આવે છે તે ગૃહીત મિથ્યાચારિત્ર છે. બાહ્ય ક્રિયાકાંડ, આત્મા (જીવ) અને અનાત્મા (અજીવ)ના જ્ઞાન અને શ્રદ્ધાનથી રહિત હોવાને કારણે સર્વ અસફળ છે. કહ્યું પણ છેજો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહું, ધરિ કરન વિવિધ વિધ દેહદાવું; આતમ અનાત્મ કે જ્ઞાન હીન, જે જે કરની તન કરન છીન. ૧૩. વિદ્યાર્થી – અજ્ઞાની જીવોની બધી ક્રિયાઓ અધર્મ કેમ છે? જે સારી હોય, તેને તો ધર્મ કહેવી જોઈએ. શિક્ષક - એના જ ઉત્તરમાં તો પં. દોલતરામજી કહે છે રાગાદિ ભાવ હિંસા સમેત, | દર્વિત ત્રસ થાવર મરણ ખેત; જે ક્રિયા તિર્વે જાનહુ કુધર્મ, તિન સરધે જીવ લહૈ અશર્મ. ૧૨. ૧૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55