Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 58
________________ ધર્મમાં આવતી છ વેશ્યાઓના જુદા જુદા રસ, સ્પર્શની વાત આવે છે કૃષ્ણ વેશ્યા કડવી, શુકલ વેશ્યા શેરડીના રસ જેવી મીઠી આ બે વાતો હવે સિદ્ધ થઈ ચૂકી છે. વિજ્ઞાન Personality raysમાં માને છે. મનુષ્યની આસપાસ એક ઈલેકટ્રોમેગ્નેટીક ફીલ્ડ હોય છે. જેને તપ-જપ અને શુદ્ધ ભાવોથી ખૂબ પ્રબળ બનાવી શકાય છે. ' ઉપને ઈવા, વિગમેઈવા અને વેઈવાની ત્રિપદીવાળી વાત વિજ્ઞાન સ્વીકારે છે. ધર્મની જેમ વસ્તુની સ્થિર અને અસ્થિર અંશને વિજ્ઞાન માને છે. શક્તિનો નાશ નહિ પણ રૂપાંતરવાળી ધર્મની વાતને પણ વિજ્ઞાન હવે સ્વીકારે છે એ આવકારદાયક છે. ૩૫૦૦ હાથ પ્રમાણ પ્રથમ ઋષભદેવ ભગવાનની વાત હવે પુરાતત્વખાતું સ્વીકારે છે. ૧ કરોડ વર્ષ જૂના માણસો અને ખોપરી (પાલ્કીંગમેન અને બોલ્ડર માસ) આફ્રિકાના જંગલોમાં મળી આવે છે. ભૂંડની કાયા ત્યારે હિપોપોટેમસ જેવી હતી એ વિજ્ઞાનની માન્યતા આ વાતને વધુ પુષ્ટ કરે છે. ફોરનેટ મેગેઝીનમાં 'Mountain that Grows' વાળો લેખ લખીને એકેન્દ્રિય (પર્વતમાં રહેલ જીવ) જીવવૃદ્ધિ કરે છે એ જૈન ધર્મની માન્યતા પર ઓવારી જવાય છે. સૌથી વધુ આનંદાશ્વાર્ય ત્યારે થાય જયારે દરિયામાં ગયા વગર જૈન ધર્મની ઓસનોગ્રાફી (સમુદ્રશાસ્ત્ર) અંગેની ટીપ્પણોમાં જણાવાયું છે કે બંગડી અને નળિયા સિવાયના સર્વે આકારની માછલીઓ સમુદ્રમાં હોય છે. આજે ઈલેકટ્રીક, પાયલોટથી લઈ વ્હીપ માછલી, ડોગ ફીશ, કેટ, પેસ્ટ ફીશ, ભગત, સેલ્ફલ્યુમીનસ, સોફીયા, સ્વોર્ડ, ફલાઈંગ અને કુરાન ફીશ જેવી અનેક માછલીઓ મળી આવે છે પણ કયાંય બંગડી કે નળિયા આકાર નજરે નથી પડતો. અહીં લેવામાં આવેલી તેમજ આવી બીજી અનેક વાતો પરત્વે તેમજ જિનધર્મ પ્રત્યે અપાર અહોભાવ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. ધર્મના સિદ્ધાંતોની પ્રરૂપણા કરવા વિજ્ઞાનની વાતોનો આધાર એટલે લેવો પડયો છે કે આજે બધા લોકો વિજ્ઞાનની પાછળ પાગલ થયા છે. ધર્મ સનાતન સત્ય છે. ધર્મના સહારા વગર સાચી શાંતિની પ્રાપ્તિ થવી અશકય છે. કહેવાતા સમૃદ્ધિવાન અમેરિકનો આદિ પણ અંદરથી ખોંખલા થતા જાય છે. ધર્મના ગૂઢ રહસ્યો સમજવા ઘણું ય જોઈએ છે. મોટા મોટા વૈજ્ઞાનિકો કહે છે અમે જે સમજયા છીએ તે સંપૂર્ણ સત્ય નથી તો ચાલો સનાતન સત્યરૂપ ધર્મ મહાસત્તાને શરણે જઈએ અને આત્મકલ્યાણ કરીએ. અસ્તુ. (સંપૂર્ણ) હેં હોય નહીં? * મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર હોય છે પણ ભોગવવામાં પરતંત્ર હોય છે. * ૩ત્તમ વારતા થા, સામયિતા તુ મધ્યમાં | अधमा त्वर्थचिन्ता स्यात्, परचिन्ता डधमाधमा । અર્થ: સ્વાત્માના શ્રપોતાના આત્માની) ચિંતા ઉત્તમ કોટિની છે, તો વિષયસુખની ચિંતા મધ્યમ છે. ત્યારે પૈસાટકાની ચિંતા અધમ છે (પણ) પરચિંતા તો અધમાઅધમ છે. : સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી પાનાચંદ લાલચંદ શાહ (રૂમાલવાળા) ઓ માનવી મારે ત્યાં સુધી તો પવનો રહે. આજનો સુવિચાર - ગરઢાં પહેલાં તે રોજ ૫-૧૫ વાર કરે છે. કોલ કરીને, અભિમાન કરીને, - માથાઓ પીને, આસક્તિ કરીને, વર્ધમાન સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80