________________
પછી દાંડીધરે નીચે બેસી પાટલી, મુહપત્તિ, દાંડીઓ, તગડી, પડિલેહવી પછી પાટલી બરોબર પડે નહિ તેવી રીતે લેઈ, દાંડીઘર ઉભો થાય પછી કાલગ્રણી ૧૦ બોલથી દંડાસણ પુંજીને લે અને જગ્યા પુંજી આપે ત્યાં ઉભો રહે,
પછી કાલગ્રહી કાલમાંડલાં કરે તેમાં દરેક કાલગ્રહણનાં ૪૯-૪૯ મંડલાં કરે પછી દંડાસણ નીચે મુકતાં મુકતાં દાંડીઘર બોલે કે દિશાવલોક હોય છે ? ત્યારે કાલગ્રહી કહે હોય છે.
પછી દાંડીઘર નીચે બેસી જગ્યા પુંજી પાટલી હલે નહિ તેવી રીતે ઠરાવીને મુકે, અને પાટલી ઉપરથી તગડી લઈ પાટલી હલતી હોય તો અટકાવે, નહીં તો છુટી નીચે મુકે,
પછી દાંડીઘર એક નવકારથી બેઠાં અને બન્ને જણા ઉભા ઉભા એક નવકાર ગણી થાપે, પછી દાંડીઘર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ વસહિ પવેઉં ? (કાલગ્રહી-પવેઓ.) ઇચ્છું કહી ખમાસમણ દેઈ સુદ્ધા વસહિ (કાલગ્રહી કહે તત્તિ.) પછી બન્ને જણ ખમાસમણ દેઈ, અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેઈ સવળો હાથ રાખી એક નવકા૨ે પાટલી ઉથાપે.
બધાં નુંતરાંની ક્રિયા થઇ રહી હોય તો પછી સ્થંડિલ પડિલેહવા.
૪ પાટલી ૨૫ બોલથી પડિલેહી જમીન પુંજી મૂકવી પછી મુહપત્તિ ૨૫ બોલથી પડિલેહી પાટલી ઉપર મુકવી પછી ડાંડીઓ બે દશ દશ બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. તગડી ચાર બોલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી.
* કાલગ્રહીનો વિધિ. *
સ્થાપનાજી ખુલ્લા રાખવા, સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી.
વિરતી, પભાઈનાં કાલ માંડલાં પશ્ચિમ દિશાએ સ્થાપન કરી કાલગ્રહણ લેવાં, તથા વાઘાઈ, અદ્વૈરત્તિનાં કાળ માંડલાં દક્ષિણ દિશાએ સ્થાપન કરી કાલગ્રહણ લેવાં.
શુક્લ પક્ષમાં એકમ, બીજ અને ત્રીજ પહેલી રાતના કાલ ગ્રહણ વાઘાઈ લેવાં ન કલ્પે.
કાજો લેતી વખતે પાટલી દાંડીઘર પોતાના હાથમાં રાખે. પ્રથમ કાલગ્રહી કાજો લે, પછી પાટલી છુટી કરી બે જણા સાથે
(૧૦૩)
વિધિસંગ્રહ- ૧-(શ્રી નુંતરાં દેવાનો વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org