Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 59
________________ ઈજારો છે. અમે તેને ખાલી કરવાના જ નથી. અમે અમારા જન્મસિદ્ધ હક માટે છેવટ સુધી લડીશું.” તેઓ તમારા પર ઝનૂની હુમલો કરશે. જ્યારે તમે ધ્યાનમાં બેસશો ત્યારે એકાએક અનેક દુષ્ટ વિચારો ફૂટી નીકળશે. જેવા તમે તેને દાબી દેવાનો પ્રયાસ કરશો તેવા તે તમારા પર બમણા જોર ને વેગથી હલ્લો કરશે. પણ અંતે તો આપણા શુદ્ધ વિચારોનો જ વિજય થવાનો. જેવી રીતે પ્રકાશ આગળ અંધકાર ટકી શકતો નથી, જેમ ચિત્તો સિંહ સામે જોઈ શકતો નથી. તેવી જ રીતે મનમાં ઘૂસી ગયેલા આ બધા નિષેધાત્મક મલિન વિચારો ભવ્ય દિવ્ય વિચારો સામે ટકી શકે નહિ. તેઓ જરૂર નાશ પામવાના જ. ૩. ગંદા હઠીલા વિચારોને હાંકી કાઢો તમારા મનમાંથી બધા બિનજરૂરી, નકામાં ગંદા વિચારોને હાંકી કાઢો. નકામા વિચારો તમારા આધ્યાત્મિક વિકાસને રુંધશે. ગંદા વિચારો આત્માને માર્ગે, પ્રગતિ કરવામાં અવરોધરૂપ બને છે. મનમાં નકામા વિચારોને જેટલે અંશે સ્થાન આપો છો, તેટલે અંશે તમે પરમાત્માથી દૂર છો. તેને બદલે ઈશ્વરનું ચિંતન કરો. જેટલા વિચારો સારા ને મદદગાર થાય તેવા હોય તેટલાનું જ સેવન કરો. ઉમદા વિચારો, આત્માના વિકાસ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ખાસ ઉપયોગી છે. - મનને પોતાના જૂના રસ્તે જૂના ચીલામાં ચાલવા દો નહિ. કેમ કે તેથી તે પોતાની જૂની ટેવો ને રીતભાત છોડશે નહિ. માટે જ બારીક નિરીક્ષણ રાખો. જો જોડામાં કાંકરી ઘૂસી ગઈ હોય તો તે આપણને પીડા કરે છે. આપણે તરત જ જોડામાંથી કાંકરી કાઢી નાખીએ છીએ. આમ, આપણે બરાબર સમજી લઈએ તો મનમાં ઘૂસી ગયેલા ગંદા વિચારોને પણ સહેલાઈથી કાઢી શકીએ. આ સંબંધી જરા પણ શંકા ન હોવી જોઈએ. આ વાત તદન જાણીતી, સ્પષ્ટ ને સત્ય છે. જેમ જોડામાંથી કાંકરી કાઢી નાખવી એ સહેલું છે તેવી જ રીતે મનને પજવતા હઠીલા વિચારને સહેલાઈથી દૂર કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. જ્યાં સુધી માણસ એ ન કરી શકે ત્યાં સુધી પોતાની પ્રગતિ અને કુદરત ઉપર વિજયની બડાઈ મારવી નકામી છે. ત્યાં સુધી તે માત્ર ગુલામ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124