Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 88
________________ જેને જીવનમાં તમાકુ સૂંધવાનું વ્યસન પડી ગયું હોય તે મૃત્યુ પહેલાંની બેભાન દશામાં તમાકુ સૂંઘતો હોય તેવી રીતે પોતાની આંગળીઓ હલાવશે. તમાકુ સૂંઘવાની ટેવની આટલી બધી અસર માણસ પર થાય છે. સ્ત્રી-આસક્ત મનુષ્યનો છેલ્લો સંકલ્પ તેની પત્ની સંબંધી હશે. દારૂના વ્યસનીનો છેલ્લો સંકલ્પ દારૂ પીવાનો હશે. લોભી વેપારી મૃત્યુ સમયે પૈસાના જ વિચાર કરશે. યોદ્ધાનો છેલ્લો સંકલ્પ પોતાના દુશ્મનનો નાશ કરવા માટેનો હશે. પોતાના એકના એક પુત્રને ખૂબ ચાહનારી માતાને છેલ્લો વિચાર પોતાના પુત્રનો જ આવશે. રાજા ભરતને હરણના બચ્ચા પર દયા આવવાથી તેને ઊછેર્યું, પણ તેમાં તે આસક્ત થઈ ગયા. આથી મૃત્યુ વખતે તેમને હરણનો જ વિચાર આવતાં તેમનો જન્મ હરણ રૂપે જ થયો. તે શુદ્ધ આત્મા હોવાથી પોતાના પૂર્વજન્મનું જ્ઞાન નાશ પામ્યું નહિ. જે મનુષ્યે સતત સાધના દ્વારા આખા જીવન દરમ્યાન પોતાના મનને સંયમમાં રાખી ઈશ્વરમાં જ જોડવાનો પ્રયાસ કર્યો હોય છે, તેવા મનુષ્યને મરણ સમયે ફક્ત ઈશ્વરનો જ વિચાર આવે છે. આ એક બે દિવસ, અઠવાડિયું કે મહિનાની સાધનાથી બની શકે નિહ. તેને માટે તો આખા જીવનપર્યંત સાધના, પ્રયાસ ને પુરુષાર્થ જોઈએ. જીવનનો છેલ્લો સંકલ્પ જ પછીના જન્મને નક્કી કરે છે, કારણ કે જે સંકલ્પોએ આખા જીવન દરમ્યાન પ્રધાનપદ ભોગવ્યું હોય તે જ સંકલ્પ મૃત્યુ સમયે સ્ફુરી આવે છે. સામાન્ય જીવન વ્યવહારમાં જે વસ્તુ બાબત મનમાં રટણ ચાલી રહ્યું હોય તે સંબંધી જ મૃત્યુ વખતે વિચાર આવે છે. આ છેલ્લો સંકલ્પ બીજા જન્મમાં મળવાના શરીરનો પણ નિર્ણાયક બને છે. જેવો મનુષ્યનો સંકલ્પ તેવો જ તે બનવાનો. ૧૨. સાત્ત્વિક વિચારો માટે પશ્ચાદ્ભૂમિકા મોટા ભાગના મનુષ્યોને પોતાના સંકલ્પના આધાર તરીકે મૂર્ત વસ્તુઓની જરૂર પડે છે. તેમને આધારે સંકલ્પો ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ, મનમાંના બધા સંકલ્પો આ કેન્દ્રોની આસપાસ ઘૂમ્યા કરે છે. મનનું આવું જ સ્વરૂપ છે. મનને કેન્દ્રિત કરવા માટે આમ સંકલ્પો માટે પશ્ચાદ્ભૂમિકાની જરૂર પડે છે. તમારા સંકલ્પરૂપી માનસિક મૂર્તિઓ માટે હંમશાં સાત્ત્વિક પશ્ચાદ્ભૂમિકા ७८

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124