Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 106
________________ મેળવો છો તે તમારા પોતાના જ સંકલ્પો અને પ્રયાસોનું પરિણામ છે. જ્યારે તમારા વિચારો યોગ્ય દિશામાં વહેતા હોય ત્યારે તમારે માટે એવી એકે વસ્તુ નથી કે જે તમે પ્રાપ્ત કરી શકો નહિ. માત્ર તમારે નિરાશાવાદી કે અનિષ્ટચિંતક થવું ન જોઈએ. સર્જનશક્તિ એ દરેકના મનનો ખાસ હક છે. તમારી પોતાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાયેલા તમારા પોતાના પ્રયાસો એ તમારા પ્રારબ્ધના તાણાવાણા છે. નિર્બળ સંકલ્પોને ધારણ કરી તમારા મનને કંગાળ બનાવો નહિ. ક્ષુલ્લક મન ઊંડી દિવ્ય દૃષ્ટિ મેળવી શકે નહિ. એક જ માર્ગે વહન કરતા સંકલ્પોને મનમાં સ્થાન આપી ભટકતા મનને એકાગ્ર કરો. જેના પર તમે તમારા મનને એકાગ્ર ચિંતનને કેન્દ્રિત કર્યું છે તે વસ્તુ વહેલી કે મોડી તમારા પ્રયાસના પ્રમાણમાં જરૂર તમને મળવાની જ. અવકાશનું પ્રમાણ તેમજ કાળની અવધિ તમારા વિચારો અને લાગણીઓના સાપેક્ષમાં હોય છે. જેવા તમારા વિચારો તેવો જ તમારો અનુભવ. જો એક ક્ષણને લાંબા સમય તરીકે કલ્પવામાં આવે તો તેવો જ અનુભવ થાય છે. અને તેથી ઊલટું કરવામાં આવે તો તેવો જ અનુભવ થાય છે. જ્યારે તમે ચિંતા કે દુઃખમાં હો ત્યારે થોડો કાળ પણ લાબા કાળ જેટલો લાગે છે, અને સુખી હો ત્યારે સમય ટૂંકો લાગે છે. કલ્પનાના પ્રભાવથી તીવ્ર સંકલ્પ દ્વારા મધુર વસ્તુ કડવી અને કડવી વસ્તુ મધુર લાગે છે. આમ, તમે ઝેરનું અમૃત બનાવી શકો. મીરાંનો વિચાર કરો. તેણે તીવ્ર કલ્પનાશક્તિ દ્વારા ઝેરનું અમૃત બનાવ્યું હતું. તમે પ્રત્યાઘાતી ને વિરોધી બળોથી ઘેરાયેલા છો. પણ જો તમારી અંદર વિરોધી વિચારો ન હોય તો તમે સહેલાઈથી શાપને પણ આશીર્વાદમાં ફેરવી શકો. આથી તમે બધાં વિરોધી તત્ત્વોને કાબૂમાં રાખી શકશો. સખત પ્રયાસ કરો અને બિનજરૂરી માનસિક ધમાલને છોડી દો. તમારી આસપાસની દુનિયા જેવી તમે કરવા માગો તેવી જ બને છે. તમારું દૃષ્ટિબિંદુ તમારા સંકલ્પોના રંગથી રંગાયેલું હોય છે. તમારા મનમાં જે પ્રકારની શ્રદ્ધા પૂરેપૂરી દઢ થઈ ગઈ હોય તે અનુસાર જ વસ્તુઓને જુએ છે અને જોવાનું ચાલુ રાખે છે. આમ, પક્ષપાતી વિચારોના લોખંડી બશ્વરને ભેદી તેની આરપાર જઈ દરેક વસ્તુમાં રહેલી દિવ્યતા જોવાનો પ્રયાસ કરો.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124