Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

View full book text
Previous | Next

Page 95
________________ ૩. વિચારો અને શબ્દો ઉચ્ચારેલા દરેક શબ્દમાં શક્તિ રહેલી છે. વિચારો કે વૃત્તિઓ બે પ્રકારનાં હોય છે : (૧) શક્તિવૃત્તિ, (૨) લક્ષણાવૃત્તિ. ઉપનિષદોમાં લક્ષણાવૃત્તિનું પ્રાધાન્ય જોવામાં આવે છે. “વેદસ્વરૂપોડહમ્” નો અર્થ “વેદનું સ્વરૂપ” એમ થતો નથી. લક્ષણાવૃત્તિથી આનો અર્થ છે માત્ર ઉપનિષદ અભ્યાસથી એટલે કે શબ્દ-પ્રમાણથી જ પ્રાપ્ત થઈ શકે એવું બ્રહ્મ' થાય છે. અહીં શબ્દમાં રહેલી શક્તિનો અનુભવ કરો. જો કોઈ બીજાને તમે “સાલા', “બદમાશ” કે “મૂર્ખ કહી બોલાવશો તો તેના મગજનો પારો એકદમ ચડી જશે અને કજિયો થશે. પણ જો તમે તેને “ભગવાન”, “પ્રભુ કે મહારાજ કહી બોલાવશો તો તે ખૂબ જ પ્રસન્ન થશે. ૪. વિચારો ને કાર્યો | વિચાર એ કાર્યનું સુષુપ્ત બીજ છે, શારીરિક કાર્યો નહિ પણ માનસિક કાર્યો જ સાચાં કાર્યો છે. માનસિક કર્મ એ જ સાચું કર્મ. વિચાર અને કર્મ એકબીજા પર પરસ્પર અવલંબન રાખે છે. સંકલ્પ અને મન જુદી જુદી વસ્તુઓ નથી. મન વિચારનું જ બનેલું છે. શબ્દ એ ન દેખી શકાય એવા સૂક્ષ્મ વિચારોનું બાહ્ય સ્વરૂપ છે. આ સિવાય બીજું કંઈ નથી. અનુકૂળ તેમ જ પ્રતિકૂળ ઇચ્છા કે ગમતી તથા અણગમતી ભાવનાથી કાર્ય ઉદ્દભવે છે. આવી અનુકૂળતા તેમ જ પ્રતિકૂળતાની લાગણીઓ ઉત્પન્ન થવાનું કારણ એ છે કે આપણે વસ્તુઓને સુખદાયક કે દુઃખદાયક ગણી બેસીએ છીએ. વિચારમાત્ર પરિમિત છે. કેટલીક ભૌતિક ક્રિયાઓ પણ સંપૂર્ણ રીતે વર્ણવી શકાય એવી હોતી નથી, તો પછી અનિર્વચનીય પરમતત્ત્વનું વર્ણન તો ક્યાંથી થઈ શકે ? શરીર અને તેના અવયવોમાં મનની સત્તા સિવાય બીજું કશું જ નથી. ૫. વિચાર, શાંતિ અને શક્તિ જેમ ઇચ્છાઓ થોડી તેમ વિચારો પણ થોડા. માટે તદ્દન વાસનાહીન બનો. આથી મનરૂપી ચક્રની ગતિ તદ્દન અટકી જશે. તમારી જરૂરિયાતો ઓછી કરો. જો તમારી ઇચ્છાઓને તૃપ્ત કરવાનો પ્રયાસ ન કરો, જો તમારી ઇચ્છાઓને એક પછી એક નાશ કરવાનો પ્રયાસ કરો તો તમારા સંકલ્પોનું

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124