Book Title: Vichar Shakti Author(s): Shivanand Swam Publisher: Swami Shivanand Gyanyagna NidhiPage 93
________________ વિચારો દ્વારા વિચારથી પાર જવું ૧. વિચારો અને જીવન મનુષ્ય વિષયના પદાર્થોનું સેવન કરે છે અને તેમાં આસક્ત થાય છે. તે વિચાર કરે છે કે ફળ શરીર માટે બહુ જ સારાં છે, આથી તેને મેળવવા માટે પ્રયાસ કરે છે. ત્યારબાદ તે મેળવે છે, અને તેનો ઉપયોગ કરે છે. હવે તે ફળમાં આસક્ત થાય છે. ક્રમે ક્રમે તેને ફળ લેવાની ટેવ પડી જાય છે. અને કોઈ દિવસ જ્યારે તેને તે મળતાં નથી ત્યારે તેને દુઃખ થાય છે. આમ, વિચારથી આસક્તિ, આસક્તિમાંથી ઇચ્છા અને ઇચ્છામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, કેમકે એક યા બીજા કારણથી જયારે ઇચ્છા ન સંતોષાય ત્યારે ક્રોધ આવે જ. ક્રોધમાંથી મોહ ઉત્પન્ન થાય છે. મોહથી યાદશક્તિનો હાસ ને યાદશક્તિના હ્રાસથી બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ થતાં જ મનુષ્યનો સંપૂર્ણ નાશ થાય છે. માટે જો તમે શાશ્વત શાંતિ મેળવવા ઇચ્છતા હો તો કદી વિષયના પદાર્થોની ઇચ્છા કરો નહિ. હંમેશાં શાશ્વત કાળને માટે આનંદ સ્વરૂપ આત્માનું ચિંતન કરો. ઇચ્છાઓ પોતે નિર્દોષ છે. તે વિચારશક્તિથી જીવંત બને છે ત્યારે જ ખૂબ જ અનર્થ કરે છે. મનુષ્ય વિષયભોગોના પદાર્થોનું ચિંતન કર્યા કરે છે અને એમ માને છે કે તેથી તેને ખૂબ સુખ મળશે. આમ, કલ્પનાથી વાસના ઉત્તેજિત થાય છે. કલ્પના ઇચ્છાઓ સાથે એકરૂપ થતાં ઇચ્છાઓને વેગ ચેતન મળે છે અને મોહાંધ જીવ પર જોરપૂર્વક હલ્લો કરે છે. ૨. વિચારો અને ચારિત્ર્ય - મનુષ્ય માત્ર સંજોગવશ પ્રાણી નથી. ઊલટું, તેના વિચારો સંજોગોને ઘડે છે. ચારિત્ર્યશીલ મનુષ્ય સંજોગોમાંથી નવજીવન નિર્માણ કરે છે. તે સતતPage Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124