Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swam
Publisher: Swami Shivanand Gyanyagna Nidhi

Previous | Next

Page 66
________________ ૧૪. વિચારોની હારમાળા, અનેકવિધ વિચારોની પરંપરા જોવામાં આવે છે. કેટલાક વિચારો, પ્રેરણારૂપે પ્રગટ થાય છે. આ ઉપરાંત દશ્ય વિચારો, શ્રાવ્ય વિચારો, પ્રતીકાત્મક વિચારો, નિયમિત ટેવરૂપે આવતા વિચારો-આમ અનેકવિધ વિચારો જોવામાં આવે છે. કેટલાક વિચારો રમત કે ખેલની માફક ગતિશીલ પણ હોય છે. કેટલાક વિચારો આવેશપૂર્ણ હોય છે, ત્યારે કેટલાક પરિવર્તનશીલ હોઈ દશ્યમાંથી શ્રાવ્ય ને શ્રાવ્યમાંથી ગતિશીલ રૂપ ધારણ કરે છે. ' જેવી રીતે મન ને પ્રાણ વચ્ચે ગાઢ સંબંધ છે તેવી જ રીતે જ સંકલ્પને શ્વાસોચ્છવાસ વચ્ચે પણ ગાઢ સંબંધ છે, જ્યારે મન એકાગ્ર થાય છે ત્યારે શ્વાસોચ્છવાસ ધીમો થાય છે. જયારે ચિતન ઝડપી બને છે ત્યારે શ્વાસોચ્છવાસ પણ ઝડપથી ચાલે છે. સાયકોગ્રાફ નામનું યંત્ર મનમાંના વિચારોને બરાબર બતાવી શકે છે. ૧૫. અધમ સંકલ્પો અને નૈતિક ઉન્નતિ. સંયમહીન સ્વચ્છંદી વિચારો એ જ બધા અનર્થોનું મૂળ છે. સ્વતંત્ર રીતે દરેક સંકલ્પ તદ્દન શક્તિહીન હોય છે. કારણ કે મનમાં ક્ષણે ક્ષણે બદલાતા અસંખ્ય સંકલ્પો કામ કરી રહ્યા હોય છે. જેમ જેમ સંકલ્પો પર વધારે ને વધારે કાબૂ રાખવામાં આવે છે તેમ તેમ મન વધારે એકાગ્ર બને છે. આથી તેની શક્તિ ને સામર્થ્યમાં વધારો થતો જાય છે. અધમ ખરાબ સંકલ્પોનો નાશ કરવા માટે ખૂબ ધીરજની જરૂર પડે છે. પણ ઉમદા ભવ્ય વિચારોના સેવનથી તેઓ બહુ સહેલાઈથી ને ઝડપથી નાશ પામે છે. વિચારની કાર્યપદ્ધતિથી અજાણ સંસારી વ્યક્તિ તિરસ્કાર, ક્રોધ, વેરઝેર, કામ, લોભ વગેરે બધા હલકા વિચારોનો શિકાર બને છે. આથી તેની ઇચ્છાશક્તિ નબળી પડી જાય છે, જેને પરિણામે મનની હલકી સૂક્ષ્મ વિચારજાળમાં તે સપડાઈ જાય છે. માનસિક શક્તિ સંપાદન કરવાનો સારામાં સારો રસ્તો એ છે કે હંમેશાં મનની શક્તિને અનેક રસ્તે વાળી, શક્તિને વેડફી નાખનારા અનેકવિધ સંસારી અધમ સંકલ્પોને કાબૂમાં રાખી, હંમેશાં ભવ્ય, ઉન્નત ને ઉમદા વિચારોનું સેવન કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124