Book Title: Valabhipurni Aetihasik Kirtigatha
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ i hu initiar ' iી જ તેમણે મારું નામ આપીને કહ્યું કે મહારાજશ્રી પાસે જ તમે લખાવો. તેમને મારા તરફથી પણ કહેજો કે જરૂર લખી આપે. પણ નિમિત્ત વિના કે પુષ્ટ આલંબન વિના કોઈ કામ જલદી થતું નથી, એ અનુભવસિદ્ધ વાત છે. આ લખાણ પણ કોઈ સબળ આલંબનની પ્રતીક્ષામાં હશે. અને એ આલંબન જિનાલયની શતાબ્દીની ઉજવણીરૂપે આ વખતે ઉપસ્થિતિ થઈ આવ્યું. દબાણ વધ્યું, એટલે લખવાનું નક્કી કર્યું. પણ બેંગલોરના દૂર દેશમાં આવશ્યક ગ્રંથોની સામગ્રી ક્યાંથી લાવવી? છેવટે તે બધી સામગ્રી અમદાવાદ-ભાવનગર વીથી મંગાવી. વારંવાર વાંચન-અવલોકન કર્યું. ખૂબ મથામણ કરી. તેના પરિણામે જે નીપજી આવ્યું તે આ “શ્રીવલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા'. આ લખાણ વલભીપુર સંઘની માગણીથી તૈયાર થયું હોવાથી તેમને મોકલ્યું. પરંતુ કોઈ અકળ કારણોસર તેમને માટે આ લખાણ ગ્રાહ્ય ન બન્યું. તેથી તેનું પ્રકાશન સ્વતંત્ર પુસ્તિકારૂપે ગોધરાના શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના આશ્રયે થઈ રહ્યું છે. આશા રાખું કે જિજ્ઞાસુ જનોને માટે આ પુસ્તિકા ઉપયોગી તથા જ્ઞાનવર્ધક નીવડશે. ઈતિહાસ, પરંપરા અને સંઘની મર્યાદાથી વિપરીત કાંઈ લખાયું હોય તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું, અને સુજ્ઞ જનો સુધારે તેવી ભલામણ કરું છું. – શીલચન્દ્રવિજય બેંગલોર : શ્રી વિજયનન્દનસૂરિ સ્મૃતિ પર્વ ૧-૧-૨૦૦૩ માગશર વદિ ૧૪-૨૦૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34