Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 211
________________ ૧૭૮ તન્યાયધિગમ સૂત્ર અધ્યાય - ૭ વર્તન કરવું, (૪) હીનાધિક માનોન્માન રાખવા અને (૫) પ્રતિરૂપક વ્યવહાર કરવો. એ પાંચ અસ્તેયવ્રતના અતિચાર છે. भाष्यम्- एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति, तत्र-स्तेनेषु हिरण्यादिप्रयोगः । स्तेनैराहृतस्य द्रव्यस्य मुधा(काण) क्रयेण वा ग्रहणं तदाहृतादानम्। विरुद्धाराज्यातिक्रमश्चास्तेयव्रतस्यातिचारः, विरुद्ध हि राज्ये सर्वमेव स्तेययुक्तमादानं भवति । हीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहार: कूटतुलोकूटमानवञ्चनादियुक्तः क्रयो विक्रयो वृद्धिप्रयोगश्च, प्रतिरूपकव्यवहारो नाम सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रिया व्याजीकरणानि चेति, एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति ॥२२॥ અર્થ- આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો છે. તેમાં... (૧) સ્તન પ્રયોગ- ચોરોને વિષે સુવર્ણાદિ ચોરવાની પ્રેરણા કરવી, (૨) તદાહતા દાન- ચોરોએ લાવેલ દ્રવ્યને મફત કે વેચાણથી ગ્રહણ કરવું તે તદાહતાદાન, (૩) વિરૂદ્ધ રાજ્યાતિકમ આ અસ્તેય વ્રતના અતિચાર છે. રાજ્ય વિરૂદ્ધ હોતે જીતે બધું જ ચોરીયુકત ગ્રહણ થાય છે (પરસ્પર વિરૂદ્ધ રાજ્યો હોય તેમની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવું તે પણ આ વ્રતના અતિચારમાં આવે.), (૪) હીનાધિકમાનોન્માન- ખોટા તોલ ખોટામાનથી ઠગાઈ પૂર્વક લેવું વેચવું અથવા વધારે ઓછું કરવું તે હીનાધિક માનોન્માન (લેતી વખતે ગ્રાહક પાસેથી વધારે લે અને આપતી વખતે ઓછું આપે વગેરે આ અતિચારમાં આવે), (૫) પ્રતિરૂપક વ્યવહારએટલે સોનું-રૂપું આદિ દ્રવ્યોનુ ફેરબદલી કરવી (અર્થાત રૂપાના દ્રવ્યોને સોના જેવા બનાવી સોના તરીકે ગણાવવા) અને છળકપટ કરવું = ચોરેલી ગાયોને શીંગડા વગેરેનો ફેરફાર કરી તથા ડામ વગેરે લગાવીને આ બીજી ગાય છે એમ વ્યવહાર કરવો તે વ્યાજીકરણ, આ પાંચેય અસ્તેયવ્રતના અતિચારો છે. રા. सूत्रम्- परविवाहकरणेत्वरपरिगृहिताऽपरिगृहितागमनाऽनङ्गक्रीडातीव्रकामाभिनिवेशा: _II૭-૨૨ા. અર્થ- (૧) બીજાનો વિવાહ કરવો, (૨-૩) બીજાએ રાખેલી અથવા કોઈએ નહિ રાખેલી સ્ત્રી સાથે ગમન કરવું, (૪) અનંગડા કરવી અને (૫) તીવ્રકામાભિનિવેશ એ પાંચ બ્રહ્મચર્ય વ્રતના અતિચાર છે. भाष्यम्- परविवाहकरणमित्वरपरिगृहीतागमनमपरिगृहीतागमनमनङ्गक्रीडा तीव्रकामाभिनिवेश इत्येते पञ्च ब्रह्मचर्यव्रतस्यातिचारा भवन्ति ॥२३॥ અર્થ- (૧) (પરવિવાહકરણ) પોતાના સંતાન સિવાય બીજાના સંતાનનો (કન્યાદાનથી લાભ છે ઈત્યાદિ માની) વિવાહ કરે. (૨) (ઈત્રપરિગૃહિત) થોડાકાળ માટે રાખેલી-રખાત અથવા પરસ્ત્રી સાથે મૈથુન સેવન. (૩) (અપરિગૃહિત) કુંવારી કન્યા અથવા કોઈનીય સ્ત્રી નથી એવી વિધવા, વેશ્યા સ્ત્રી સાથે મૈથુન સેવન તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306