Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 300
________________ સભાખ્ય-ભાષાંતર ૨૬૭ नृलोकतुल्यविष्कम्भा, सितच्छत्रनिभा शुभा। उर्ध्वं तस्याः क्षितेः सिद्धाः, लोकान्ते समवस्थिताः॥२०॥ (તે પૃથ્વી) મનુષ્યલોક જેટલા (૫ લાખ યોજન) વિસ્તારવાળી અને સફેદ છત્ર જેવા આકારવાળી અને શુભ (પુદ્ગલોની) છે. તે પૃથ્વીની ઉપર અને લોકને અંતે સિદ્ધત્માઓ સ્થિર રહેલા છે. (૨૦) (સિદ્ધભગવંતનું સ્વરૂપ) तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञानदर्शनैः। सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रियाः ॥२१॥ તે (સિદ્ધભગવંતો) તાદાત્મભાવે કેવળજ્ઞાન અને કેવળદર્શનના ઉપયોગવાળા હોય છે, (સાયિક) સમ્યકત્વ અને સિદ્ધત્વમાં સ્થિત હોય છે અને કારણનો અભાવ હોવાથી ક્રિયા કરતા નથી (નિષ્ક્રિય હોય છે) (૨૧) (લોકાન્તથી ઉપર ગતિ અભાવનું કારણ) ततोऽप्यूवं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । થતિશાયામાવાત, ર દિ દેતુ: પદારરા તેથી (લોકાન્તથી) પણ ઉપર તેઓની (સિદ્ધભગવંતોની) ગતિ કેમ નથી ? એમ જો પ્રશ્ન હોય તો (જૂઓ, જવાબ.) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી (લોકાન્તથી ઉપર સિદ્ધાત્માની ગતિ થતી નથી.) કારણકે તે (ધર્માસ્તિકાય) ગતિનું પ્રધાન (અપેક્ષા) કારણ છે. (૨૨) (મોક્ષ સુખ વિશે વિચારણા..) संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम्। વ્યાવાથાિતિ પ્રોd, પરમં પરમમિરર સિદ્ધભગવંતોને સંસારના વિષયોને ઓળંગી ગયેલ (વિષયસુખથી ચઢીયાતું) શાશ્વત, દુ:ખ રહિત એવું પરમ સુખ હોય છે એવું પરમર્ષિઓએ કહ્યું છે. (૨૩) Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306