________________
૩૮ : સ્વાધ્યાય સંચય
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આહી. ૪૨
પદનામકથન આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજ કર્મ, ‘છે ભોક્તા’ વળી ‘મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, બર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
(૧) શંકા-શિષ્ય ઉવાચ : નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિઆ જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આત્મા, મિથા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮
) સમાધાન-સદ્ગુરુ ઉવાચ : ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને માન. ૫૦