________________
૭૪ : સ્વાધ્યાય સંચય
નથી. તેમજ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેક ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમી ભૂપતિ; સંવાદ પણ ઇદ્રથી દઢ રહ્યો, એકય સારું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. ( વિશેષાર્થ : રાણીઓનો સુમદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ
એવા એ મુક્તિ સાધક મહાવૈરાગીનું ચરિત્ર ‘ભાવના બોધ'ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.
અન્યત્વ ભાવના ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના-પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના. રે! રે! જીવ વિચાર એમ સદા, અન્યત્વદા ભાવના.
વિશેષાર્થ : આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી; આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી; આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારા નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યન્ય ભાવનાનો વિચાર કર! વિચાર કર!