________________
૮૦: સ્વાધ્યાય સંચય
સમજે બંધનમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલરચના કર્મ ખચીત; પુગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. જો કે પુલનો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છેહ, સમજણ બીજી પછી કહીશ,
જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૫. જહાં રાગ અને વળી દ્રષ,
તહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.
મુંબઈ, ફા. વદ ૧, ૧૯૪૬
– આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
મુંબઈ. વૈ. વદ ૪, ગુરુ, ૧૯૪૬