Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 441
________________ જ ર્મદનત્રિકની ક્ષપણા ઉપશમના માનતા નથી) એટલે અનં. કષાયની વિસંયોજના કરી દર્શન ત્રિકની ઉપશમના કરનાર ૨૪ની સત્તાવાળો ઉપશમ શ્રેણિ કરે. એલે ઉપશમ સમ્યકત્વી ૨૮ કે ૨૪ની સત્તાવાળો ઉપશમ શ્રેણી કરે. પૂર્વે આયુઃ બાંધ્યું હોય પછી અનં. કષાયનો ક્ષય કરી દર્શન ત્રિકનો પણ ક્ષય કરી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરીને પણ ઉપશમ શ્રેણી કરે. તેને મોહનીયની ૨૧ની સત્તા હોય. આમ ઉપશમ શ્રેણી કરનારને મોહનીયની ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય છે. દર્શનત્રિકની ક્ષપણાની વિધિ આ પ્રમાણે. દર્શનત્રિકની ક્ષપણા ૧) દર્શન ત્રિકની ક્ષપણા ૪ થી ૭ ગુણસ્થાનક્યાં થાય છે. ૨) જિનેશ્વર ભગવાન અને કેવલજ્ઞાનીના કાલમાં વર્તતો મનુષ્ય જ દર્શનત્રિકની ક્ષપણાનો પ્રારંભ કરે. ૩) દર્શનત્રિકની ક્ષપણાની સમાપ્તિ ચારે ગતિમાં થાય છે. ૪) ૮ વર્ષથી અધિક ઉમરવાળો, પ્રથમ સંઘયણી, શુભલેશ્યાવંત ક્ષપણાનો પ્રારંભ કરે. ૫) પ્રથમ યથાપ્રવૃત્તકરણ, પછી અપૂર્વકરણ ત્યારબાદ અનિવૃત્તિકરણ કરે. ૬) અહીં અપૂર્વકરણમાં મિથ્યાત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયનો ગુણસંક્રમ પણ હોય છે. મિથ્યાત્વના દલિયા મિશ્ર અને સમ્યકત્વ મોહ.માં અને મિશ્રના દલિયા સમ્યકત્વ મોહનીયમાં અસંખ્ય ગુણાકારે નાખે છે. ૭) અહીં અપૂર્વકરણના કાળથી મિથ્યાત્વ મોહ. તથા મિશ્ર મોહ. ની ઉદ્ગલના પણ કરે છે. એટલે મિથ્યાત્વના દલિક પોતાની નીચેની સ્થિતિમાં અને મિશ્ર અને સમ્યકત્વમાં અને મિશ્રના દલિક પોતાની નીચેની સ્થિતિમાં અને સમ્યકત્વ મોહનીયમાં નાખે છે. ૮) ઉવલનામાં સ્થિતિની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડ મોટો ઉવેલું છે. બીજો સ્થિતિ ખંડ વિશેષહીન, ત્રીજો વિશેષહીન એમ યાવત દિચરમ સ્થિતિખંડ સુધી જાણવું. ૯) અપૂર્વકરણમાં ઉદ્ગલના થતી હોવાથી મિથ્યા. મિશ્રની શરૂઆતમાં જે સ્થિતિસત્તા હોય તે સ્થિતિ સત્તા એપૂ.ના ચરમ સમયે સંખ્યાત ગુણ હીન થાય. ૪૩૬

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466