Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 443
________________ દીર્થદર્શનત્રિકની ક્ષપણાકીદ. ૧૮) પછી મિશ્રની એક આવલિકાને સ્તિબુક સંક્રમ વડે સમ્યકત્વ મોહનીયમાં સંક્રમાવી નાશ કરે છે. ૧૯) સમ્યક્ત્વ મોહનીયની સ્થિતિ આઠ વર્ષ પ્રમાણ સત્તામાં હોય ત્યારે નિશ્ચય નયથી દર્શન મોહનીયનો ક્ષપક કહેવાય છે. ૨૦) ત્યાર પછી સમત્વના અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડોને ઉકેરે છે. કિચરમ સ્થિતિખંડ કરતાં ચરમ સ્થિતિખંડ સંખ્યાત ગણો મોટો હોય છે. ૨૧) સમ્યકત્વ મોહનીયનો ચરમ સ્થિતિખંડનો નાશ થયા પછી સમ્યકત્વ મોહનીયની અંતર્મુહૂર્તની સત્તા હોય છે. તે વખતે જીવ કૃતકરણ કહેવાય છે. ૨૨) ઉમેરાતા મિથ્યાત્વને દલિયા સમ.મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાખે છે અને મિશ્રના દલિયા સમ્યકત્વ મોહનીયમાં નાખે છે. ૨૩) કૃતકરણમાં વર્તતો જીવ જો પૂર્વ બદ્ધાયુ હોય તો ભોગવાતું આયુ. પૂર્ણ થાય તો મરણ પામી બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જાય છે. ૨૪) પ્રથમ શુભ લેશ્યા હતી. હવે કોઈ પણ લેસ્થામાં વર્તે છે. ૨૫) આમ છેલ્લો ગ્રાસ (અંતર્મુહૂતી પ્રમાણે સમતિ મોહનીયને ઉદય ઉદીરણા વડે ભોગવીને નાશ કરે છે. અનંતર સમયે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. સમ્યકત્વ મોહનીયની છેલ્લી, (ચરમ) આવલિકાને ફક્ત ઉદય વડે ભોગવતો જીવ વેદક સમ્યત્વી કહેવાય છે. આ રીતે ક્ષાયિક સમક્તિ પામવાનો પ્રારંભ મનુષ્ય જ કરે છે. અને સમાપ્તિ ચારે ગતિમાં થાય છે. “પદ્ધવગો અ મણસો નિષ્ઠવગો ચઉસુવિ ગઇસુ” ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યા પછી જો બદ્ધાયુ ન હોય અથવા જિનનામ ન બાંધ્યું હોય તે અંતર્મુહૂર્ત પછી ક્ષપક શ્રેણી કરે છે. ' ઉપશમ શ્રેણી ઉપશમ શ્રેણિ કરનાર ત્રણ પ્રકારના જીવો હોય છે. દર્શન સપ્તકનો ઉપશમ કરી મોહનીયની ૨૮”ની સત્તાવાળો ઉપશમ સમ્યકત્વી ૨) અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરી દર્શન ત્રિકની ઉપશમના કરનાર મોહનીયની ૨૪ની સત્તાવાળો ઉપશમ સત્વી . * જો અનંતાનુબંધીની વિસંયોજના કરીને જ ઉપશમ શ્રેણિ ચડાય. પરંતુ ઉપશમના કરીને ન ચડે તો તેમના મતે ૨૮ની સત્તા સાત ગુણ૦ સુધી જ હોય (જુઓ.) ૪૩૮

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466