________________
સામ્યશતક
શ્લોક-3
औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् ।
आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।। અર્થ - ઔદાસી (મધ્યસ્થપણા)ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! ભાવાર્થ – સંસારમાં કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેના બાનારૂપે કંઈક આપવાથી તે વસ્તુ પોતાની માલિકીની ગણાય છે. ભલે હજી તેની પૂરી કિંમત ન ચૂકવી હોય તોપણ તે વસ્તુ તેને મળશે એવી બાંહેધરી અપાય છે. તેમ આત્માનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ - ચિદાનંદ મોક્ષના બાનારૂપ છે. તે સહજાનંદમાં નિમગ્ન રહેતાં નિશ્ચિત મોક્ષ મળશે જ એવી જામીન વીતરાગવિજ્ઞાન આપે છે. ઉદાસીનતા ધારણ કરનાર યોગીપુરુષોને પ્રાપ્ત થયેલ આ કેવળજ્ઞાનના પ્રભાતરૂપ ચિદાનંદ જયવાન થાઓ! -