Book Title: Samya Shatak
Author(s): Vijaysinhsuri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ સામ્યશતક શ્લોક-3 औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।। અર્થ - ઔદાસી (મધ્યસ્થપણા)ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! ભાવાર્થ – સંસારમાં કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેના બાનારૂપે કંઈક આપવાથી તે વસ્તુ પોતાની માલિકીની ગણાય છે. ભલે હજી તેની પૂરી કિંમત ન ચૂકવી હોય તોપણ તે વસ્તુ તેને મળશે એવી બાંહેધરી અપાય છે. તેમ આત્માનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ - ચિદાનંદ મોક્ષના બાનારૂપ છે. તે સહજાનંદમાં નિમગ્ન રહેતાં નિશ્ચિત મોક્ષ મળશે જ એવી જામીન વીતરાગવિજ્ઞાન આપે છે. ઉદાસીનતા ધારણ કરનાર યોગીપુરુષોને પ્રાપ્ત થયેલ આ કેવળજ્ઞાનના પ્રભાતરૂપ ચિદાનંદ જયવાન થાઓ! -

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1320