________________
મહાચાર
પણ, માલિકને પૂછયા વિના લેતા નથી, એટલું જ નહીં પણ બીજા પાસે લેવરાવતા નથી, અને કોઈ લેતો હોય તેને અનુમતિ પણ આપતા નથી. [૧૩-૪]
૪. મૈથુનને સર્વ પ્રમાદનું મૂલ, અસેવ્ય, અધર્મનું મૂળ કારણુ, મહાદાને સમૂહ તથા ઘોર કર્મોના હેતુરૂપ જાણુ મુનિઓ તેને સેવતા નથી; તેમ જ તેને સર્વ પ્રકારના ચારિત્રને છિન્નભિન્ન કરનારું જાણી તેની નજીક પશુ જતા નથી. [૧૫-૬]
૫. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરની આજ્ઞાનું અનુસરણ કરનારા સાધુઓ સજીવ કે નિજીવ મીઠું, તેલ, ઘી, ગોળ જેવી વસ્તુઓને પણ બીજી ટંક સુધી સંઘરી રાખતા નથી. કારણ કે, એ પ્રમાણે કરવું એ લેભની શરૂઆત જ છે. તેમ કરનારે સાધુ ગૃહસ્થ જે જ છે, ત્યાગી નથી. સાધુઓ વ, પાત્ર, કંબળ અને રજોહરણ રાખે છે, તે સંચમ અને લજજાના નિવારણ અર્થે જ હોય છે. જ્ઞાતપુત્ર ભગવાને તેવા કારણસર રાખેલી વસ્તુને પરિગ્રહ નથી કહ્યો, પરંતુ આસક્તિ – મમતાને જ પરિગ્રહ કહેલ છે. સાધુપુરુષ તે અનુસાર, ઉચિત ક્ષેત્ર-કાળને સમજી, જીવાદિના સંરક્ષણાર્થે શાક્ત સાધનસામગ્રી રાખે છે, પરંતુ તેમાંય તેઓ મમત્વ
૧. મૂળમાં ફાણિત” એટલે કે પ્રવાહી ગેળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org