Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 146
________________ તેમના ખુલ્લા, નિર્દોષ, નિર્મળ વક્તવ્યથી સામાનું મન આકર્ષી શકે છે. કયારેક તેમની કડવી વાણી પણ મીઠી જ લાગે છે. જો કે એવી કડવી વાણીનું તેમનું ક્ષેત્ર બહ પરિમિત છે. બાળકને જેમ રમકડાંનો પ્રેમ હોય તેમ પૂ. મહારાજશ્રીને પુસ્તક - પાનાંનો પ્રેમ છે. જયારે કોઈ મારા જેવો આ હસ્તપ્રત જ પકડવી અને કેસ વાપરવી એ જાણતો ન હોય અને પ્રતને બગાડી મૂકે અગર બગાડવાની તૈયારી કરતો હોય ત્યારે એમનું એ બાળકહૃદય જોવા જેવું બને છે, આકુળ-વ્યાકુળ બની જાય છે. ક્યારેક એ આકુળતા મનમાં સંઘરી રાખે છે, પણ ક્યારેક આ નિમિત્તે તેઓ રોષે ભરાય છે ત્યારે જોવા જેવું બને છે - આ એક માત્ર ક્ષેત્ર તેમના રોષને પ્રકટ કરવાનું નિમિત્ત બને છે, આથી બીજા નિમિત્તે રોષ તેમનામાં જોયો નથી, અનુભવ્યો નથી. . પુસ્તક-પાનાંનો તેમનો આ પ્રેમ પરિગ્રહમૂલક નથી, પણ તેની સુરક્ષાની દષ્ટિમાંથી નિષ્પન્ન છે, તેનાં અનેક પ્રમાણો આપી શકાય તેમ છે. પોતે સંશોધિત કરેલી પ્રત, તેની નકલ કે કોઈ છાપેલ પુસ્તક કોઈને પણ આપી દેવામાં તેમણે કદી સંકોચ કર્યો નથી. આ બાબતની સાક્ષી અનેક વિદ્વાનો પૂરશે. આજના વિદ્વાનો ઉદાર બની શકે છે પણ પોતે શુદ્ધ કરેલ પ્રત કે તેની નકલ બીજાને તેને નામે સંપાદિત કરવા આપતા નથી - તેમાં એક માત્ર અપવાદભૂત પૂ. મહારાજા છે. આ બાબત હું મારા જાતઅનુભવથી પણ કહી શકું છું. તેમણે મને મારા સંપાદનો માટે ઉપયોગી અનેક પ્રતો મેળવી આપી, તે તો ખરું જ, ઉપરાંત તેમણે પોતે કરેલ કે કરાવેલ નકલો પણ મને સંપાદન માટે આપી છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રમાણવાર્તિક (સ્વાર્થનું માન)ની પ્રત અને તેની નકલ તેમણે જ મને સંપાદન માટે આપી અને મેં તેનું સંપાદન કર્યું. અને એ કારણે મારે વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડામાં આવવાનું બન્યું છે. ભારતમાં ઉપલબ્ધ પ્રમાણવાર્તિકની એકમાત્ર પ્રત અને તેની નકલ અન્ય કોઈ પાસે હોત તો તે કોઈને આપત જ નહિ, એવું એનું મહત્ત્વ છે. પણ પૂ. મહારાજશ્રીની ઉદારતા છે કે વિના “નનન ચ' તેમણે મને એ સોંપી દીધી. એ જ પ્રમાણે વિશેષાવશ્યક મૂળ સ્વોપણ વૃત્તિની નકલ પણ તેમની જ ઉદારતાને કારણે મને મળી અને તેનું સંપાદન મેં મારા નામે કર્યું. હેતુબિન્દુ-ટીકાની નકલ તેમણે તાજે જ અજાણી લિપિમાંથી ઘોર પરિશ્રમ કરીને કરી અને તે પણ તેમણે પૂ. પં. સુખલાલજીને સંપાદન માટે આપી દીધી - આ તો પ્રસિદ્ધદાખલા છે, પણ તે સિવાયના આવા તો અનેક દાખલા છે, જેમાં નિઃસંકોચભાવે તેમણે અન્યને સામગ્રી પૂરી પાડી છે. કોઈ પણ દેશી-વિદેશી વિદ્વાનને જૈન ભંડારની પ્રત જોઈતી હોય તો તે પ્રત, અગર તેની નકલ, અગર ફોટો સોંપવામાં જરા પણ સંકોચ તેઓ અનુભવતા નથી. આથી પ્રો. બ્રાઉન અને પ્રો. આલ્સડોર્ફ જેવા વિદેશી વિદ્વાનો પણ પ્રતો માટે તેમનું શરણ સ્વીકારે છે. અને એક કાળે જે એમ કહેવાતું કે જૈન ભંડારની પ્રત તો અપ્રાપ્ય જલેખવી જોઈએઆ વાતને ખોટી પાડવામાં પૂ. મહારાજશ્રીનો મોટો ફાળો છે, અને હવે એમ મનાવા લાગ્યું છે કે જૈન ભંડારોની પ્રત પણ વિદ્વાનોને ઉપલબ્ધ થઈ શકે છે. - જ્ઞાનોદ્ધારક સાધુપુંગવોની ત્રણ પેઢીનો હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રતો સંઘરવામાં આવી હતી, તે લાલભાઈ દલપતભાઈ ભા. સં. વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. તે સંગ્રહ મળ્યો તેને આધારે જ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબની સખાવતથી, એ વિદ્યામંદિરની અમદાવાદમાં 127 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252