Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 179
________________ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ : વિશુદ્ધ સેવાનિષ્ઠ શ્રમણજીવન : પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર, વડોદરા ।। રહસ્ય સાધુનામનુપધિ વિશુદ્ધ વિજયતે ઉત્તરરામચરિત (ભવભૂતિ) પરમ પૂજ્ય મહારાજ શ્રી પુણ્યવિજયજીના દીક્ષા-મહોત્સવના પ્રસંગને સાઠ વર્ષો થયાં તેના સ્મરણમાં વડોદરાના શ્રી જૈન સંઘે મહારાજશ્રીના લેખોની પ્રસિદ્ધિ કરવાનો નિર્ણય કર્યો છે તે જાણતાં ઘણો આનંદ થયો. એ ગ્રન્થમાં મહારાજશ્રીની સાથેના મારા થોડા-ઘણા પરિચયના લખાણના સમાવેશરૂપે એક લેખ મોકલવાનું, ગ્રન્થ પ્રકાશન માટે નિર્ણીત થયેલી સમિતિની વતી પ્રાચ્યવિદ્યામંદિરના વિદ્વાન અધ્યક્ષ ભાઈ શ્રી ભોગીલાલ સાંડેસરાએ મને લિખિત નિમંત્રણ આપ્યું તે માટે એમનો અને સમિતિનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અંગ્રેજી ભાષામાં મારા આ પ્રયાસને વર્ણવું તો હું લખી શકું કે I regard it as my proud privilege to pay my humble tribute to the learning and the selfless devotion to duty and pursuit for knowledge of the respected Muni Maharaj. મુનિશ્રીના પરિચયમાં હું વર્ષોથી છું. એ પરિચય મારા વડોદરા શહેરના નિવાસ દરમિયાન અને મહારાજશ્રીના વડોદરા શહેરમાં થયેલા ચતુર્માસો દરમિયાન હું કેળવી શક્યો છું. એમનાં વ્યાખ્યાનોનો મેં અતિ આનંદથી લાભ ઉઠાવ્યો છે. અને એમની સાથે જૈન વિદ્યા સબંધી ચર્ચા કરી એમના જ્ઞાનનો સારો લાભ લીધો છે. હમણાં જ, વિક્રમ સંવત ૨૦૨૪ના ચાતુર્માસ દરમિયાન, જાની શેરીના ઉપાશ્રયમાં થયેલા-થતાં એમનાં વ્યાખ્યાનોનું કોઈ કોઈ વાર શ્રવણ કર્યું છે. વર્ષો અગાઉ ઘડિયાળી પોળમાં જૈન ધર્મશાળામાં મહારાજશ્રી નરસિંહજીની પોળમાં આવેલા જ્ઞાનમંદિરની હસ્ત-લિખિત પ્રતોનું સંપાદન કરવામાં વ્યાવૃત રહેતા હતા ત્યારે હું તેમની પાસે ઘણીવાર જતો-આવતો હતો. જ્યારે જ્યારે હું દર્શનનો લાભ લઉં છું ત્યારે મને એવું થાય છે કે, હું શહેરમાં રહેતો હોઉં તો કેવું સારું! તો હું આ પરિચયને સારી રીતે કેળવી શકું ! અત્યારે તો એ અશક્ય છે, કારણ કે મારું નિવાસ-સ્થાન ઉપાશ્રયથી દૂરના વસતિ-સ્થાન-પ્રતાપગંજમાં આવી ગયું છે. હું ઈચ્છું કે, વડોદરાનો શ્રીસંઘ નિશ્રાની સવડ વિકસતા વડોદરા શહેરની જૈન-જૈનેતર જનતાને વધારે આપવા શક્તિમાન થાય! એક દષ્ટિએ શ્રી પુણ્યવિજયજી મહારાજે જૈન આગમ-સાહિત્યની વાચનાને પુરોગામી અને સહ-યુગી કાર્યકરોની પરંપરાને સાચવી રાખી છે, તો બીજી દષ્ટિએ, એ જ પુરાણી પરંપરાને એમણે નવો, વર્તમાન-યુગી, યુરોપીય ઘાટ આપ્યો છે. જૈન શ્વેતાંબર આગમસાહિત્યની વાચનાઓ પાટલીપુત્ર, મથુરા અને વલભી(વળા) મુકામે થઈ. તે વાચનાઓ સમૂહવાચનાઓ હતી. અને તેમના નિર્ણયો સમૂહ નિર્ણયો હતા. એ હરેક સ્થળે વિદ્વાન મુનિરાજો ભેગા થયા હતા, અને પરંપરાથી ચાલતા આવતા, વિવાદાસ્પદ પાઠોને શુદ્ધ કરી-કરાવી, અંતિમરૂપ આપવા એમણે પ્રયત્નો કર્યા હતા, તેમાં વલભી વાચનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું હતું તે સ્વરૂપ અત્યારે અંતિમ સ્વરૂપ ગણાય છે, અને તેને બધા શ્વેતાંબરી પક્ષો માન્ય કરે છે. આ વાચનાઓનો નિર્ણય થયો ત્યારે વાચનાના માધ્યમ વિષે મતભેદ હતો, પણ છેવટે મહાવીરની દેશનાઓના માધ્યમ-અર્ધમાગધીનો સર્વાનુમતિએ ।। પુણ્યરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only 160 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252