SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના ખુલ્લા, નિર્દોષ, નિર્મળ વક્તવ્યથી સામાનું મન આકર્ષી શકે છે. કયારેક તેમની કડવી વાણી પણ મીઠી જ લાગે છે. જો કે એવી કડવી વાણીનું તેમનું ક્ષેત્ર બહ પરિમિત છે. બાળકને જેમ રમકડાંનો પ્રેમ હોય તેમ પૂ. મહારાજશ્રીને પુસ્તક - પાનાંનો પ્રેમ છે. જયારે કોઈ મારા જેવો આ હસ્તપ્રત જ પકડવી અને કેસ વાપરવી એ જાણતો ન હોય અને પ્રતને બગાડી મૂકે અગર બગાડવાની તૈયારી કરતો હોય ત્યારે એમનું એ બાળકહૃદય જોવા જેવું બને છે, આકુળ-વ્યાકુળ બની જાય છે. ક્યારેક એ આકુળતા મનમાં સંઘરી રાખે છે, પણ ક્યારેક આ નિમિત્તે તેઓ રોષે ભરાય છે ત્યારે જોવા જેવું બને છે - આ એક માત્ર ક્ષેત્ર તેમના રોષને પ્રકટ કરવાનું નિમિત્ત બને છે, આથી બીજા નિમિત્તે રોષ તેમનામાં જોયો નથી, અનુભવ્યો નથી. . પુસ્તક-પાનાંનો તેમનો આ પ્રેમ પરિગ્રહમૂલક નથી, પણ તેની સુરક્ષાની દષ્ટિમાંથી નિષ્પન્ન છે, તેનાં અનેક પ્રમાણો આપી શકાય તેમ છે. પોતે સંશોધિત કરેલી પ્રત, તેની નકલ કે કોઈ છાપેલ પુસ્તક કોઈને પણ આપી દેવામાં તેમણે કદી સંકોચ કર્યો નથી. આ બાબતની સાક્ષી અનેક વિદ્વાનો પૂરશે. આજના વિદ્વાનો ઉદાર બની શકે છે પણ પોતે શુદ્ધ કરેલ પ્રત કે તેની નકલ બીજાને તેને નામે સંપાદિત કરવા આપતા નથી - તેમાં એક માત્ર અપવાદભૂત પૂ. મહારાજા છે. આ બાબત હું મારા જાતઅનુભવથી પણ કહી શકું છું. તેમણે મને મારા સંપાદનો માટે ઉપયોગી અનેક પ્રતો મેળવી આપી, તે તો ખરું જ, ઉપરાંત તેમણે પોતે કરેલ કે કરાવેલ નકલો પણ મને સંપાદન માટે આપી છે. આ પ્રસંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રમાણવાર્તિક (સ્વાર્થનું માન)ની પ્રત અને તેની નકલ તેમણે જ મને સંપાદન માટે આપી અને મેં તેનું સંપાદન કર્યું. અને એ કારણે મારે વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડામાં આવવાનું બન્યું છે. ભારતમાં ઉપલબ્ધ પ્રમાણવાર્તિકની એકમાત્ર પ્રત અને તેની નકલ અન્ય કોઈ પાસે હોત તો તે કોઈને આપત જ નહિ, એવું એનું મહત્ત્વ છે. પણ પૂ. મહારાજશ્રીની ઉદારતા છે કે વિના “નનન ચ' તેમણે મને એ સોંપી દીધી. એ જ પ્રમાણે વિશેષાવશ્યક મૂળ સ્વોપણ વૃત્તિની નકલ પણ તેમની જ ઉદારતાને કારણે મને મળી અને તેનું સંપાદન મેં મારા નામે કર્યું. હેતુબિન્દુ-ટીકાની નકલ તેમણે તાજે જ અજાણી લિપિમાંથી ઘોર પરિશ્રમ કરીને કરી અને તે પણ તેમણે પૂ. પં. સુખલાલજીને સંપાદન માટે આપી દીધી - આ તો પ્રસિદ્ધદાખલા છે, પણ તે સિવાયના આવા તો અનેક દાખલા છે, જેમાં નિઃસંકોચભાવે તેમણે અન્યને સામગ્રી પૂરી પાડી છે. કોઈ પણ દેશી-વિદેશી વિદ્વાનને જૈન ભંડારની પ્રત જોઈતી હોય તો તે પ્રત, અગર તેની નકલ, અગર ફોટો સોંપવામાં જરા પણ સંકોચ તેઓ અનુભવતા નથી. આથી પ્રો. બ્રાઉન અને પ્રો. આલ્સડોર્ફ જેવા વિદેશી વિદ્વાનો પણ પ્રતો માટે તેમનું શરણ સ્વીકારે છે. અને એક કાળે જે એમ કહેવાતું કે જૈન ભંડારની પ્રત તો અપ્રાપ્ય જલેખવી જોઈએઆ વાતને ખોટી પાડવામાં પૂ. મહારાજશ્રીનો મોટો ફાળો છે, અને હવે એમ મનાવા લાગ્યું છે કે જૈન ભંડારોની પ્રત પણ વિદ્વાનોને ઉપલબ્ધ થઈ શકે છે. - જ્ઞાનોદ્ધારક સાધુપુંગવોની ત્રણ પેઢીનો હસ્તપ્રતસંગ્રહ, જેમાં અનેક મહત્ત્વની પ્રતો સંઘરવામાં આવી હતી, તે લાલભાઈ દલપતભાઈ ભા. સં. વિદ્યામંદિરને સોંપી દેવામાં તેમણે જે ઉદારતા દાખવી છે તે માત્ર અનુકરણીય જ નહિ પણ તેમની નિર્મલ અપરિગ્રહવૃત્તિ જ દાખવે એવી છે. તે સંગ્રહ મળ્યો તેને આધારે જ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબની સખાવતથી, એ વિદ્યામંદિરની અમદાવાદમાં 127 શ્રી પુણ્યચરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004548
Book TitlePunyacharitram
Original Sutra AuthorN/A
AuthorDharmadhurandharsuri
PublisherJain Vidya Shodh Samsthan
Publication Year2009
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy