________________
સ્થાપના થઈ અને બેએક વર્ષ પછી તેમાં હું જોડાયો. અને મેં અનુભવ્યું છે કે ક્યારેય પણ ‘એ પ્રતો મારી છે’– એ પ્રકારનો અહં મેં તેમનામાં જોયો નથી, તેમ જ એ સોંપી દઈને પોતે મોટો ઉપકાર કર્યો છે એવી ભાવના પણ મેં તેમનામાં જોઈ નથી, પણ જાણે કે સમાજનું સમાજને જ મળ્યું છે એવી ધન્યતા તેમણે અનુભવી છે. આવી ઉદાર અને અપરિગ્રહવૃત્તિની ભૂમિકા ઉપર લા.દ. વિદ્યામંદિરનું ચણતર થયું છે. આજે તેમના એ દશ હજાર પ્રતોના સંગ્રહમાં બીજી પચીસેક હજાર ઉપરાંત પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે અને હજી બીજી કેટલીક મળશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. ઘણા જ થોડા સમયમાં તેમની અને પૂ. સુખલાલજીની દોરવણી નીચે ચાલતી આ સંસ્થા દેશવિદેશમાં પ્રસિદ્ધિને પામી છે તેમાં તેમના મૂખ આશીર્વાદ જ કારણ છે.
લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્ઘાટન શ્રી જવાહરલાલ નહેરુના હાથે થવાનું હતું. પૂ. મહારાજશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનનું નિરીક્ષણ માટે શ્રી નહેરુના કાર્યક્રમમાં હતી, પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂ. મહારાજશ્રી સાથે પ્રદર્શનમાં તેમણે અડધો કલાક ગાળ્યો. આવી મહત્ત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. તેનું મૂલ્ય રૂપિયામાં તો થઈ શકે તેમ છે જ નહીં. સચિત્ર હસ્તપ્રતો અમૂલ્ય જ ગણાવી જોઈએ. આવો અમૂલ્ય વારસો વિદ્યામંદિરને મળ્યો છે. પણ વિદ્યામંદિરના બંધાનાર અતિથિગૃહ કે ઉપાશ્રયમાં તેઓ સ્થિરવાસ કરશે કે નહિ એ ચર્ચા-પ્રસંગે તેમણે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. તેઓએ કહ્યું ઃ મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે, તેમની મને હૂંફ છે, મારી તેમને છે.
અમારી દલીલ હતી કે મહારાજશ્રી, આપનું કાર્ય તો વિદ્યાનું છે, સંશોધનનું છે અને તેમાં તો આ બધા બાધક જ બને છે. ગમે ત્યારે ગમે તે આવે, આપ ગમે તેવા ગંભીર કાર્યમાં ગૂંથાયા હો પણ ભાવિક સાથે વાર્તાલાપ તો કરવો જ પડે. આમ આપનો સમય બગડે છે, વિદ્યાનું કામ રખડે છે વગેરે. પણ આની સામે તેમની દલીલ એ છે કે, ‘ખપીને બોધ આપવો એ પણ અમારું તો એટલું જ મહત્ત્વનું કામ છે. કોણ કઈ રીતે બોધ પામે તે કાંઈ કહેવાય નહિ. આપણા દરવાજા તો ખુલ્લા જ રહેવા જોઈએ' અને જોયું કે તે ખુલ્લા જ છે. સંશોધનનું કામ છોડી તેઓ નાનાં બાળકો સાથે પણ આનંદપૂર્વક વાત કરી શકે છે. અમને તેમનો એ સમય બગડતો જણાય છે, પણ તેમને મને એ સમયનો સદુપયોગ જ છે. એ બાળકો જ ભવિષ્યના નાગરિકો છે, તેમનામાં સુસંસ્કાર સીંચવા એ પણ તેઓ પોતાનું કામ માને છે. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે, વિદ્યાગુરુ છે.
લા. દ. વિદ્યામંદિરને માત્ર હસ્તપ્રતો જ તેમણે આપી છે એમ નથી, પણ જિંદગીભર ચૂંટી ચૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ સોંપી દીધાં છે. સોંપી દીધાં છે એટલે હવે ખરી રીતે તો તેમની મુશ્કેલી વધી છે. પોતાના સંશોધનકાર્યમાં જરૂરી પુસ્તકો પણ તેમણે સંસ્થાને આપી દીધાં, હવે તે પુસ્તકોનો ઉપયોગ અમે કરતા હોઈએ ત્યારે તેમને પણે તે જરૂરી થઈ પડે છે. અમારી પાસેથી મંગાવવાનો સંકોચ તેમનામાં મેં અનુભવ્યો છે અને જોયું છે કે અત્યંત જરૂરી પુસ્તકો પુનઃ તેમણે વસાવી લીધાં છે. આવી સંકોચવૃત્તિ ભવ્યતાનું લક્ષણ છે. તેમની પાસેનું કોઈ પુસ્તક કોઈ જુએ અને મહારાજજી અનુભવે કે આ પુસ્તક જોનારને જરૂરી જણાય છે, તો તેઓ તરત જ તે તેને નિઃસંકોચભાવે આપી દે છે. આમ જે જ્ઞાનોત્તેજના ખરા
128
શ્રી પુણ્ય-રિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org