________________
૨ ૨૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
છે; પણ કદી માતાનું ઘાવણ લેતા નથી. દા.
વગર શીખે વિદ્યા બઘી, કળા અનેક પ્રકાર,
જાણે, માણે સુખ મહા, પૂર્વ-કર્મ-અનુસાર. ૯૦ અર્થ -પ્રભુ પાર્શ્વકુમાર વગર શીખે બધી વિદ્યાઓને, અનેક પ્રકારની કળાઓને જાણે છે. તથા પૂર્વકર્માનુસાર મહાન સુખને માણે છે; અર્થાત્ ઇન્દ્રિય સુખોની ભરમારમાં પણ આત્માના મહાન એવા નિર્દોષ સુખને અનુભવે છે. ૯૦ગા.
(૧૯)
પાનાથ પરમાત્મા
ભાગ-૩ (દોહરા)
પૂર્ણ જુવાની ખીલતાં પ્રભુતન શોભે એમ;
નમની ચાંદની નિર્મળ નભમાં જેમ. ૧ * અર્થ – પ્રભુ પાર્થકુમારની પૂર્ણ યુવાની ખીલતાં પ્રભુના શરીરની શોભા એવી લાગતી હતી કે જાણે આકાશમાં શરદ પૂર્ણિમાના ચંદ્રમાની નિર્મળ ચાંદની ખીલી હોય તેમ જણાતું હતું. ૧]
સોળ વર્ષના પ્રભુ થયે, અશ્વસેન ભૂપાળ,
સ્નેહ-ન્સલિલ ભીનાં વચન વદે પિતા પ્રેમાળ. ૨ અર્થ - પ્રભુ સોળ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રી અશ્વસેન રાજા સ્નેહરૂપી સલિલ એટલે પાણીથી ભીના એવા પ્રેમાળ વચન કહેવા લાગ્યા. રા
“એક રાજકન્યા વરો, કરો ઉચિત વ્યવહાર;
વંશ-વેલ આગળ વધે, સુખ પામે પરિવાર. ૩ અર્થ - હે પાર્શ્વકુમાર! એક રાજકન્યા સાથે પાણિગ્રહણ કરો અને જગતને ઉચિત એવો આ વ્યવહાર આદરો. જેથી વંશની વેલ આગળ વધે અને પરિવારના બધા સદસ્યો સુખી થાય. (૩)
નાભિરાજની આશ પણ પૅરી પ્રથમ અવતાર;
તેમ અમારી કામના પૂરો, પાર્શ્વકુમાર.”૪ અર્થ:- નાભિરાજાની આશને પણ પ્રથમ અવતાર શ્રી ઋષભદેવજી ભગવાને પૂરી કરી હતી. તેમ અમારી કામનાને પણ હે પાર્શ્વકુમાર! તમે પૂરી કરો. જો
પિતાવચન સુણી પ્રભુ કહે વિનય સહિત તે વાર,
“ઋષભદેવ સમ હું નહીં આપ જ કરો વિચાર. ૫ અર્થ – પિતાના વચન સાંભળીને તે સમયે જ વિનયપૂર્વક પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી! હું