Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 452
________________ गच्छ्वासिनो वस्त्रं कदोत्पादयन्ति ? तस्य विधिश्च तत्पुनर्गच्छ्वासिनः कदोत्पादयन्तीति चेदुच्यते सूत्रार्थपौरुष्यौ विधाय भिक्षार्थमेव पर्यटन्त उत्पादयन्ति । यदि च तदा न लभन्ते, ततो द्वितीयपौरुष्यामपि गवेषयन्ति । तथा ( दा) प्यलाभे प्रथमायामपि मृगयन्ति । तदर्थं गच्छन्तश्च दण्डकं भूमौ न लगयन्ति यावत्प्रथमो लाभ इति । इत्थं च गृहप्रविष्टैरभावितश्रावकः प्रथमं न याचनीयो विपरिणामाप्रियतादिदोषसम्भवात् । किञ्च श्राद्धानामाचार एवायं यदेषणीयमुद्धरितं स्वत एव यच्छन्ति, तदिह यान्यन्याभिभावितकुलानि तेषु याञ्चा कार्या । तां च कुर्व्वद्भिस्तत्प्रभुर्वक्तव्यो यथा-धर्मलाभो भो श्रावक ! तव समीपे वयमागता। ईदृशैर्वस्त्रैरद्य प्रयोजनमस्तीति। ततश्चानुग्रहं मन्यमानेन तेन वस्त्रे दर्शिते साधुना प्रष्टव्यं कस्य सम्बन्ध्येतदिति । एवं च पृष्टे प्राञ्जलतया कथयत्यसौ यथा भवदर्थं कृतमिदं क्रीतं धौतं चेत्यादि । अमुकेन वा ઉંચકીને શું કરવું ?' એમ વિચારી વધારાના કપડાં છોડવાની ઈચ્છાવાળા હોય. અથવા જીર્ણ થવાથી ત્યજવાની તૈયારીમાં હોય તેવું વસ્ત્ર યાચે. કૃતિ પૂન્ય નવઘોષસૂરયઃ ] આ ચારેય પ્રકારની ઉદ્દિષ્ટાદિની વાત તો સ્થવિરકલ્પીને આશ્રયીને થઈ. પરન્તુ જિનકલ્પીઓ તો ચારપ્રકારમાંથી પ્રથમના પ્રકારો વડે ગ્રહણ કરતા નથી. પરન્તુ ત્રીજા અને ચોથા પ્રકાર વડે ગ્રહણ કરે છે. ♦ ગચ્છવાસીઓ વસ્ત્રને ક્યારે મેળવે ? તેની વિધિ - હવે, ગચ્છવાસી સ્થવિરકલ્પી સાધુઓ ઉપ૨પ્રમાણેના વસ્ત્રને કયા સમયે મેળવે? તે કહે છે, સૂત્ર અને અર્થપોરસી કર્યાબાદ ગોચરીમાટે જ ફરતાં ફરતાં સાથોસાથ વસ્ત્રને પણ મેળવે. જો ત્યારે ન મળે તો બીજીપોરિસીમાં પણ ગવેષણા કરે. ત્યારે ન મળે તો પહેલીપોરિસીમાં પણ ગવેષણા કરે. અર્થાત્ લાગે કે ૧૦ વાગ્યા પછી મળે તેમ નથી. તો ૮ વાગે નવકારશીના સમયની આસપાસ નીકળે = ગવેષણા કરે. વજ્રની ગવેષણા કરવા જતાં સાચવવાની વિધિ બતાવે છે. વસ્ત્ર મેળવવા જાય ત્યારે જ્યાંસુધી પ્રથમલાભ = પ્રસ્તુતમાં વસ્ત્રની વાત ચાલતી હોવાથી જ્યાંસુધી પ્રથમ વસ્રલાભ ન થાય ત્યાં સુધી દાંડો ભૂમિએ ન લગાડે. [આ વિધિ ખાસ તો શુકન માટે કરવામાં આવે છે. કૃતિ પૂન્ય નયઘોષસૂરયઃ ] આ પ્રમાણે ભૂમિપર દાંડો ન મૂકવાપૂર્વક ઘરમાં પ્રવેશેલ સાધુએ સૌ પ્રથમ તો જે શ્રાવક સાધુથી અભાવિત હોય તેની પાસે યાચના ન કરવી. કારણ કે એમાં વિપરિણામ અપ્રીતિ થવી વગેરે દોષોનો સંભવ છે. તો કયા શ્રાવક પાસે માંગણી કરે? તે કહે છે, આમ તો શ્રાવકોનો આ આચાર જ હોય છે કે એષણીયવસ્ત્ર વાપરતાં પહેલા વિનંતિ કરે અને વાપર્યા પછી ઉપયોગ કર્યા પછી વધેલું હોય તેની પોતે જ વિનંતી કરે. પરન્તુ જો સાધુને યાચના કરવાનો વારો આવે તો બીજા જે ભાવિતકુલ હોય તેઓ પાસે યાચના કરે. યાચના કરતી વખતે સાધુઓ આ પ્રમાણે બોલે કે, ‘હે શ્રાવક ! તમોને ધર્મલાભ છે. આ તમારી પાસે અમો આવ્યા છીએ. આવું કપડું ખપે છે.’ ‘આ અમારા પર અનુગ્રહ કર્યો' એમ માનતા એ શ્રાવક કપડું બતાવે ત્યારે સાધુએ પ્રશ્ન કરવો કે ‘આ વસ્ત્ર કોનું છે ?' શ્રાવક Jain Education International = = ४१९ For Private & Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506