Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાણા-વિનિમય પ્રથા : આ સમયની આર્થિક સ્થિતિને સમજવા માટે વિનિમય પદ્ધતિનો ખ્યાલ મેળવવો આવશ્યક છે. સોલંકીકાલના કોઈ ચોકકસ સિક્કાનો અભાવ છે. આથી, આ સમયની વિનિમય પદ્ધતિનો ચોક્કસ ખ્યાલ મેળવવો મુશ્કેલ બને છે. પ્રબંધોના તથા લેખપદ્ધતિનાં સાધનોમાં મળતા ભીમપ્રિય, કુમારપાલપ્રિય, લુણસાપ્રિય, વિશ્વમલ્લપ્રિય, આદિ દ્રમનો ઉલ્લેખ છે. ૩પ અલાઉદ્દીન ખલજીની દિલ્હીની ટંકશાળના ઉચ્ચ અધિકારી ઠક્કર ફેરુની પ્રાકૃત દ્રવ્ય પરીક્ષા'ના “ગુર્જરી મુદ્રા' પ્રકરણ (પૃ. ૨૭-૨૮)માં ગુર્જરપતિ રાજાઓની બહુવિધ મુદ્રાઓનાં વિવિધ નામ આપવામાં આવ્યાં છે; એમાં કુમરપુરી, અજયપુરી, ભીમપુરી, લાવણસાપુરી, અર્જુનપુરી મુદ્રાઓ અને સારંગદેવ નરપતિ મુદ્રાઓ તથા તેઓનાં વજનનો ઉલ્લેખ મળે છે. આ પરથી અનુમાન કરી શકાય કે તે રાજાઓ પોતાના સિક્કા પડાવતા હશે. - તત્કાલીન સાહિત્યિક અને ઉત્કીર્ણ સાધનોમાંથી કેટલાક પ્રચલિત સિક્કાનાં નામ મળે છે. નિષ્ક, બિસ્ત, ક્રમ, ભાગક, રૂપક, કાકણિ, કાર્લાપણ, પ્રસ્થ, શૂર્પ એ સિક્કાઓનો ઉલ્લેખ કયાશ્રયમાંથી મળે છે. પણ તેમાંથી કોઈ ખાસ સિક્કા ઉપલબ્ધ કરી શકાયા નથી. તેથી વિનિમયપ્રથા ગ્રામ્યકક્ષા પર પ્રચલિત હશે. યાશ્રયના ઉલ્લેખ મુજબ “ધાન્યના બે દ્રોણથી, છ આખલાથી અને ઉનના સો કામળાથી એક ઘોડી ખરીદી શકાતી. એ જ ગ્રંથમાં વ્યાજનો દર અબ્ધ, પાંચ કે છ ટકા જેટલો જણાવેલો છે. અર્ધો ટકો એટલે માસિક અર્ધો ટકો હતો. લખપદ્ધતિમાંના એક દસ્તાવેજમાં વ્યાજનો દર ૧૨ માસિક બે ટકા એટલે કે વાર્ષિક ૨૪% નો જણાવેલ છે. કદાચ વ્યાજના દર નાણાં લેનારની ગરજ અને ધીરનારની જોખમ લેવાની તૈયારી અનુસાર બદલાતા હોય. તેનાં બંધન બે પ્રકારનાં હતાં : ગુપ્તિ (કેદખાનું) અને કચબંધ. આ કચબંધ કૌંચપક્ષીના આકારની એક બેડી હતી. આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હતી, તથા ખેતી, હુન્નર ઉદ્યોગ, વ્યાપાર ધંધા બહોળા પ્રમાણમાં ચાલતાં. તેથી જ સોલંકીકાલને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ' તરીકે ઇતિહાસવિદો ઓળખાવે છે. પાદટીપ ૧. “ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ-૨, ૩ લેખ નં. ૧૩૮, ૧૪૮, ૧૪૬, ૧૪૮, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૬, ૧૫૭, ૧૭૧, ૧૮૫ ૨. રસિકલાલ છોટાલાલ પરીખ તથા ડૉ. હ. ગ. શાસ્ત્રી (સંપાદકો) : “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ' ઇતિહાસ', ગ્રંથ ૨, ખંડ ૧, પૃ. ૨૦ ૩. નવીનચંદ્ર આચાર્ય : “ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ', પૃ. ૩ ૪. એજન, પૃ. ૪ ૫. મુનિશ્રી જિનવિજયજી (સંપા.) : ‘પુરાતન પ્રબંધસંગ્રહ', પૃ. ૨૮ ૬. રમણલાલ ના. મહેતા : “ગુજરાતને મળેલ સ્થાપત્યનો વારસો', પૃ. ૧૧૦ ૭. રસિકલાલ છોટાલાલ પરીખ : “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૨૧૯ 6. A. K. Majumdes : Chaulukyas of Gujarat, Pub. Bharatiya Vidhya Bhavan, Bombay, 1956, pp. 108 & 262, ૯. ‘ગુજરાતના ઐતિહાસિક લેખો' ભાગ ૩, પૃ. ૨૩૮ ૧૦. ‘યાશ્રય', સર્ગ ૧૯, શ્લોક ૭. ૧૧. “દેશીનામમાલા', વર્ગ ૬, શ્લોક ૩૦ પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૫૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141