________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ, ૧૮૭૦-૧૯૩૦
પ્રિ. ડૉ. જગદીશભાઈ એસ. ચૌધરી* પ્રસ્તાવના :
ખેડૂતો, ખેતમજૂરો, આદિવાસીઓ, મિલમજૂરો અને દલિતો જેવા સમાજના કચડાયેલા વર્ગોને કેન્દ્રમાં રાખીને તાજેતરમાં કેટલાક અભ્યાસો થયા છે. પરંતુ આ પ્રકારના ઘણાખરા અભ્યાસોમાં બ્રિટિશ શાસકોના “રેકોર્ઝ"નો આધાર લેવામાં આવ્યો હોવાથી કચડાયેલા વર્ગોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકતો નથી. આવાં કારણોસર પ્રસ્તુત લેખમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની પરંપરાઓની છણાવટ કરીને તેમનામાં આવેલાં સામાજિક પરિવર્તનોને સમજાવવામાં આવ્યાં છે, અને વળી આ ગતિવિધિઓને સમજાવવામાં તેમનાં દુર્લભ ગણાય તેવાં લોકગીતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં લોકગીતો આદિવાસીઓની જીવનશૈલીને સમજવામાં મદદરૂપ છે કારણ કે તે તેમની પોતાની લાગણીઓ અને ઊર્મિઓને વ્યક્ત કરે છે. બ્રિટિશ શાસન અને આદિવાસીઓ :
આજે આપણે જેને સુરત જિલ્લા તરીકે ઓળખીએ છીએ તે પ્રદેશ ૧૯મા સૈકામાં અડધો બ્રિટિશ તાબામાં અને અડધો ગાયકવાડી તાબામાં હતો. જેમકે સોનગઢ, વ્યારા, મહુવા, નવસારી, ગણદેવી અને માંડવીના અમુક ભાગો વડોદરાના ગાયકવાડ સરકારના તાબામાં હતા જયારે સુરત, ઓલપાડ, કામરેજ, બારડોલી, જલાલપોર, વલસાડ અને બિલિમોરા જેવા વિસ્તારો બ્રિટિશ રાજ્યના તાબામાં હતા, પણ ગાયકવાડ અને બ્રિટિશ રાજાના ઘણાખરા વિસ્તારોમાં દુબળા, ચોધરા, ગામીત, નાયકડા, કોંકણા, માંગ, ઢુંઢિયા, વારલી અને ધોડિયા જેવા આદિવાસીઓ મુખ્યત્વે વસવાટ કરતા હતા. ઉદાહરણ તરીકે ઈ.સ. ૧૮૯૧ના વસ્તી-ગણતરીના અહેવાલ મુજબ સુરત જિલ્લામાં આદિવાસીઓની કુલ વસ્તી ૨,૧૧,૧૧૬ હતી અને વડોદરા રાજ્યના આદિવાસીઓની વસ્તી ૨,૦૦,૩૪૯ હતી.”
બ્રિટિશ અહેવાલોમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓને “પછાત” ઉપરાંત “ગુનેગારોની ટોળીઓ” તરીકે ઓળખાવવામાં આવ્યા છે. વળી એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આવા “પછાત અને ગુનેગાર” લોકો ખ્રિસ્તી બન્યા પછીથી તેમનામાં સુધારો થયો છે. પરંતુ આ પ્રકારનો દાવો હકીકતો અને તથ્યોથી તદ્ન વેગળો છે. સાચી હકીકત એ છે કે ઈ.સ. ૧૯૧૫ પછી ગાંધીવાદી સંસ્થાઓ અને રીતરસમો દ્વારા આદિવાસીઓમાં સમાજસુધારો થયો. તે પહેલાં છેક ૧૮૬૦ બાદ તેમનામાં “ભગત આંદોલન” શરૂ થયું હતું. આદિવાસી સમાજમાં પ્રગટ થયેલા કેટલાયે ભગતોએ તેમને દારૂ-તાડીનું સેવન નહીં કરવાના ઉપદેશો આપ્યા હતા. વળી આ ભગતોએ તેમનામાં ઘર કરી ગયેલી ભૂતપ્રેત, ડાકણ અને ભૂવાઓ જેવી અંધશ્રદ્ધાઓનો પણ વિરોધ કર્યો હતો. દુર્ગારામ મહેતાજી અને કવિ નર્મદ જેવા ૧૯મા સૈકાના સુરતના પ્રખર સમાજસુધારકો જ્યારે આદિવાસી સમાજ સુધી પહોંચી નહીં શકેલા તેવા સંજોગોમાં ઈ.સ. ૧૮૬૦ બાદ શરૂ થયેલું “ભગત આંદોલન” સમાજપરિવર્તનની દષ્ટિએ અત્યંત મહત્ત્વનું હતું.'
૧૯મા સૈકામાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ “કાળી પરજ” તરીકે ઓળખાતા હતા. પ્રેમાનંદ ધોળીદાસ પટેલ નામના વડોદરા રાજ્યના ડેપ્યુટી વિદ્યાધિકારીએ તેમને વિશે અભ્યાસ કરીને “નવસારી * એસ. વી. આર્ટ્સ કૉલેજ, ઇતિહાસ વિભાગ, રિલીફ રોડ, પથ્થરકૂવા, અમદાવાદ-૧
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સામાજિક પરિવર્તન : પરિબળો અને દિશાઓ... p૧૦૯
For Private and Personal Use Only