Book Title: Pathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિષદ બકરાની છે, સિંહની નથી''” એમ કહીને તેમણે પરિષદની અને તેમના કાર્યકરોની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેને સરદાર પટેલે ટેકો આપ્યો હતો. ગાંધીજીએ જણાવેલું કે ‘રાજ્યોમાં ઘણાં દુષ્ટ કામો થતાં સાંભળું છું પણ તેનાથી વધારે દુષ્ટ કામ એ રાજ્યની બહાર મોટાં રાજ્યોમાં થઈ રહ્યાં છે તે કરનારાઓની ચોટલી પકડીશું એટલે રાજ્યોની વાતનો સહેજે નિકાલ આવી જશે.૨૦ આમ પરિષદ ઉપર મૂકેલી કેટલીક સ્વમર્યાદાઓ અંગે તેમણે જણાવેલું કે ‘અત્યારે આપણી પાસે કાઠિયાવાડના કોઈ રાજ્યની સરહદમાં રહીને તેની કે બીજાં રાજ્યોની ટીકા કરવાની શક્તિ નથી એટલે જ એવી ટીકા કરવાની શક્તિ ભવિષ્યમાં મેળવવાની આશાએ આપણે આવી મર્યાદા મૂકી છે. કાઠિયાવાડ રાજકીય પરિષદનું પાંચમું અધિવેશન મોરબીમાં ૧૯૨૯માં મળ્યું હતું અને તેના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વરાયા હતા. મોરબીની આ પરિષદ મળી એના એક વર્ષ અગાઉ બારડોલી સત્યાગ્રહનું યોગ્ય નેતૃત્વ કરી સફળતા મેળવી તેઓ સાચા અર્થમાં ‘સરદાર’ પુરવાર થયા હતા. મોરબી રાજ્યે આ પરિષદ ભરવા અંગે સંમતિ આપી હતી પરંતુ તેની સાથે જ ત્યાં કાઠિયાવાડ યુવક પરિષદ ભરાય તે તેને નાપસંદ હતું કારણ યુવક પરિષદમાં કાઠિયાવાડ રાજકીય પરિષદે દોરી આપેલી મર્યાદાઓનો ભંગ કરીને વ્યક્તિગત રાજ્યો અને રાજવીઓની ઉગ્ર ટીકા થવાની સંભાવના હતી તેથી આ બંને પરિષદ એક જ સ્થળે મોરબીમાં ભરાય તે ગાંધીજીને પણ ઠીક લાગ્યું ન હતું. છતાં તેમણે આ અંગે કાઠિયાવાડના યુવક નેતાઓને સરદાર પટેલની સલાહ અને માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતું. તેમણે પણ ગાંધીજીની જેમ યુવકને મર્યાદાઓ સ્વીકા૨વા જણાવતાં યુવક નેતાઓ નારાજ થઈને મોરબી છોડીને ચાલ્યા ગયા છતાં આવા ડહોળાયેલા વાતાવરણમાં સરદાર પટેલે કુનેહથી કામ લીધું અને કેટલાક યુવક નેતાઓ હાજર રહ્યા. વિશેષતા તો એ રહી કે યુવક પરિષદમાં વરાયેલા પ્રમુખ મણિલાલ કોઠારી અને તેમના સાથીદારો આ પરિષદમાં હાજર રહ્યા હતા અને પરિષદ પ્રમુખ સરદાર પટેલની પડખે રહ્યા હતા. ગાંધીજી અને સરદારે કાઠિયાવાડની એ વખતની પરિસ્થિતિની ઝીણવટભરી છણાવટ કરી રાજા અને પ્રજા બંનેને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. પ્રમુખપદેથી બોલતાં સરદાર પટેલે યુવકોની વાચાળતા અને માત્ર શબ્દોમાં જ બહાદુરી બતાવવાની અધીરતાની આલોચના કરી હતી. તો રાજાઓની ઝાટકણી કાઢતાં તેમનો નિરંકુશ સત્તા પ્રત્યેનો મોહ ઓછો કરવા અને બ્રિટિશ સામ્રાજ્યની સોડમાં ભરાવા કરતાં પ્રજાનો પ્રેમ સંપાદન કરવા સલાહ આપી હતી. ઉપરાંત તેમણે એમ કહેલું કે ‘કાઠિયાવાડ એટલે તેનાં અનેક ગામડાંઓમાં વસતી પ્રજા. તેનો પ્રાણાગ્નિ ઓલવાઈ ગયો છે તેથી તેના બુઝાયેલા હૈયામાં ચિનગારી પ્રગટાવવાની જરૂર છે..... આજની પરિસ્થિતિમાં પરિષદનું મુખ્ય કામ પ્રજામાં પ્રાણ રેડવાનું જ હોવું જોઈએ. એ ત્યારે જ બની શકે તપ્રોત થઈ જાય.’૨૨ ઉપસંહાર ભાષણમાં તેમણે કહ્યું કે ‘૧૯૨૧ થી ૧૯૨૯નાં નવ વર્ષમાં આપણે માત્ર પાંચ પરિષદો ભરી એટલે કે દર વર્ષે આપણે પરિષદ ભરી શક્યા નથી. તે પરિષદની મર્યાદા દર્શાવે છે. વળી રાજાઓ પાસે કામ કરાવવું હોય તો પરિષદનો રાજા પ્રત્યે પ્રેમ જોઈએ અથવા પરિષદમાં રાજાને પદભ્રષ્ટ કરવાની શક્તિ જોઈએ; પરંતુ જો એ બેમાંથી એક પણ શક્તિ આપણામાં ન હોય તો આપણી દશા વર્ણસંકરની થાય.... માટે કાઠિયાવાડની પ્રજાએ ખુશામત છોડી દઈ શક્તિ એકઠી કરવા જણાવ્યું.... બહુ બોલવાથી લાભ નથી પણ હાનિ છે. ખાલી નિંદાથી કોઈ રાજા હાર્યો એવો દાખલો નથી.૨૩ આમ તેમણે પોતાની લાક્ષણિક શૈલીમાં પ્રજાની મર્યાદાનો ખ્યાલ આપી વાસ્તવવાદી બનવા સલાહ આપી. મોરબી પરિષદ ૧૯૨૯માં ભરાયા પછી છેક આઠ વર્ષે ૧૯૩૭માં રાજકોટમાં તેનું છઠ્ઠું અધિવેશન દરબાર ગોપાળદાસ દેસાઈના પ્રમુખપદે મળ્યું હતું. તેમાં પણ સરદાર પટેલ હાજર રહ્યા હતા. આમ ૧૯૨૯ થી ૧૯૩૭ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે હતા. પરિષદના છઠ્ઠા સરદાર પટેલ અને કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૧૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141