Book Title: Pathik 2002 Vol 42 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વોટ્સન મ્યુઝિયમમાં સંગૃહીત ગુજરાતના પ્રાચીન સિક્કાઓ પ્રા. ઈન્દુમતી ગોસ્વામી ” મ્યુઝિયમ એ પ્રવર્તમાન લોકશાહી સમાજરચનામાં લોકશિક્ષણનું એક અસરકારક અને અધિકૃત માધ્યમ છે રાષ્ટ્રનો ભવ્ય ભૂતકાળ તથા યુગોની ઉત્તરોત્તર પ્રગતિ વિશેનું જ્ઞાન-પુસ્તકો દ્વારા મળે તેના કરતાં મ્યુઝિયમ દ્વાર જીવંત રીતે પ્રાપ્ત થતું હોય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી મ્યુઝિયમ વિષેનો સર્વ સામાન્ય ખ્યાલ બદલાઈ ગયો છે. મ્યુઝિયમ એ જાહેર સંસ્થા છે, તેથી ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. લોકશાહીમાં મ્યુઝિયમ એ લોકોને કેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે. તેથી મ્યુઝિયમને “લોક વિશ્વવિદ્યાલય" તરીકે વર્ણવી શકાય.મ્યુઝિયમ એ મૂળમાં અંગ્રેજી શબ્દ છે, પરંતુ હવે એ આપણી ભાષામાં રૂઢ થઈ ગયો છે. હિંદીમાં તેને ‘૩નાયવેધર' કહેતા, પણ એ માત્ર અજાયબીભરી વસ્તુઓનું આયતન નથી. ગુજરાતીમાં તેને “સંગ્રહસ્થાન” કે “સંગ્રહાલય' કહીએ છીએ, પરંતુ વર્તમાન અર્થમાં તે વિદ્યાકેન્દ્ર છે. “મ્યુઝિયમ શબ્દનું મૂળ ટીકભાષાના ‘Mouscion' શબ્દમાં રહેલ છે. એનો અર્થ “વિદ્યામંદિર’ કે ‘વિદ્યાભવન' થાય છે. | ગુજરાત રાજ્યમાં બધું રાજયની સરખામણીમાં મ્યુઝિયમની સંખ્યા વધારે છે. આમાંનાં ઘણાખરાં મ્યુઝિયમો સૌરાષ્ટ્રમાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજવીઓ તરફથી ગુજરાત રાજયને મળેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસારૂપ વિશિષ્ટ પ્રકારનાં મ્યુઝિયમો છે. સૌરાષ્ટ્રમાં સૌથી પ્રાચીન રાજકોટના વોટ્સન મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮ માં થયેલ છે. કર્નલ જહોન વોટ્સન કાઠિયાવાડમાં રાજદ્વારી પ્રતિનિધિ હતા. તેઓની સ્મૃતિમાં આ મ્યુઝિયમની રચના થયેલી છે. આ મ્યુઝિયમ બહુહેતુક પ્રકારનું છે. તેમાં ક્યુરેટરોનો ફાળો પણ સવિશેષ છે. આ મ્યુઝિયમમાં ભૂતપૂર્વ સૌરાષ્ટ્રના રાજવીઓએ મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ભેટ આપીને તેને સમૃદ્ધ કરેલ છે. ' વોટ્સન મ્યુઝિયમના સંગ્રહોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો, પ્રાચીન શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, કાઠિયાવાડના રાજવીઓ તથા જાણીતી વ્યક્તિઓનાં ચિત્રો, સૌરાષ્ટ્રની હુનર કારીગરી, ભૂસ્તરશાસ્ત્ર વિભાગ, વનસ્પતિશાસ્ત્ર વિભાગ, વિદેશી કલાકૃતિઓ તથા આફ્રિકાની અવનવી વસ્તુઓનો સંગ્રહ તેમ જ પ્રાણીઓનાં ચામડાં પર ઇજિપ્સીયન ભાષામાં લખેલાં લખાણોનો સંગ્રહ છે, પરંતુ અહીં આપણે માત્ર વોટસન મ્યુઝિયમમાં સંગીત ગુજરાતના પ્રાચીન સિક્કાઓ' ઉપર જ માત્ર ચર્ચા કરીશું. આપણે ત્યાં એક કહેવત છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ જે બતાવે છે કે સિક્કો (અર્થાતુ રૂપિયાનું મૂલ્ય કેટલું બધું છે) નાનો છે, છતાં ઘણો જ મહત્ત્વનો અને માહિતીપ્રદ છે. સિક્કાનો મૂળ હેતુ તો વિનિમયના માધ્યમ તરીકે ચલણી નાણું પૂરું પાડવાનો હોય છે, પરંતુ ઇતિહાસ જાણવાના સાધન તરીકે પણ સિક્કાઓ અગત્યના પુરાવારૂપ બને છે. રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સિક્કાઓનો વિશાળ સંગ્રહ છે. જેમાં સોના, ચાંદી, તાંબા અને પિત્તળની ધાતુઓ જોવા મળે છે. સોનાના સિક્કાઓ હાલમાં ૧૧૩ જેટલા છે. મ્યુઝિયમમાં સિક્કાની શરૂઆત પ્રાચીન બિબટંક ચિહ્િનત સિક્કાથી થાય છે. ભારતીય યવન, શક-પહુલવ, ક્ષત્રપ, કુષાણ, આ%, ગુપ્ત, રાજાઓના પ્રાચીન સિક્કાઓ, ગધૈયા સિક્કાઓ દિલ્હી તથા ગુજરાતના સુલતાનોના, મુઘલોના અને છેવટે ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજાઓના સિક્કાઓનો સંગ્રહ છે. પંચમાર્ક સિક્કાઓ ભારતના સૌથી પ્રાચીન સિક્કાઓ છે અને ઈ.સ. પૂર્વે ૬00 થી પ્રચલિત હતા. પંચમાર્ક * ૧૯ર૦ રામનાથ પરા, ‘હરિકૃપા', રાજકોટ-૧ પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૫૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202