Book Title: Pathik 1991 Vol 31 Ank 04
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયો. મૂર્તિએ બેલીને સંતપુરુષના પક્ષે સાક્ષી પૂરી. રાજા અને એમની સાથે આવેલા એમના સહીઓએ આ બધું સાંભળ્યું અને જોયું. રાજાએ પિતાની જનેઈ કાપી નાખી અને એમની સાથેના લોકોએ પણ એવું કહેવાય છે કે એ દિવસે કપાયેલી જઇએનું વજન લગભગ ૨૬૦ રતલ થયું. ત્યાર બાદ ખંભાતમાં દૂર દૂર સુધી ઈસ્લામને ફેલાવો થશે તેમજ આખાય ગુજરાતમાં પણ સિરાજ જેશીગ મસલમાન થશે અને ભારમલ પણ. સૌપ્રથમ મસલમાન થનાર એ જ હતા, અમારા મૌલાના અને હાદી સફદ્દીન એમના જ વંશજ છે. એ જ એમના યશસ્વી જ છે. વાર બાદ એમના સુપુત્ર મૌલા યાકુબના હાથમાં સત્તા આવી. ત્યારબાદ એમના સુપુત્ર મુલ્લા ઈશ્વાક થયા, એમણે જ એમને ઉછેર્યા હતા. ત્યારબાદ શેઠે સમય સત્તા (ગાદી) એમના વંશજો અને સગાઓમાં રહી અને થોડો સમય એમના વંશજો સિવાયના લેકે હાદી' બન્યા, એટલે સુધી કે હાલના અમારા સૈયદના મૌલાના સૈફુદ્દીન હાદી થયા. ખુદા એમને કયામત સુધીનું દીર્ધાયુષ અપે. આજે અમે તે એમને અનુસરીએ છીએ, ધર્મની બાબતમાં એએથી જ અમારા માર્ગદર્શક છે. આ રીતે ગુજરાતમાં ઇસ્લામને ઉદય મૌલા અબ્દુલ્લાહના હાથે હિ. સ. ૪૫૦માં થયે, ખંભાતમાં જ એમની કબર છે. એઓશ્રી યમનના માલિક બન માલિક હમાવીના શિષ્ય હતા. એ હિબતુલ્લાહ બિન સા શિરાઝીના શિષ્ય હતા. શીરાઝી સાહેબે એમના યશસ્વી પૂર્વજો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું અને આ સિલસિલે છેક ઉઝરતે સલમાન શાસી (૨. ઇ.) સુધી પહોચે છે, જેમના વિશે સૂલુલ્લાહ (સ. અ. વ.) ફરમાવ્યું કે સલમાન અને “અહલે તિ’ પીકી એક છે.” અહીં અનુવા પૂરે થાય છે. ત્યાર બાદ હસ્તમતમાં હઝરત સલમાન ફારસી (૬.દ.)ની પ્રશંસામાં એક બે ફકરા છે. એ વાતને જોકે હાલ આ લેખને સંબંધ નથી. અંતે લેખક કહે છે કે “ખરીદ-વેચાણ કરનારને એટલે કે વેપાર કરનારને ગુજરાતના લોકો વહેરા' કહે છે. વહેરા કહેવડાવવા માટે બીજું પણ કારણે છે, પણ સૌથી જાણીતા અને વિક્રેત કારણ તે આ જ છે.” આ હસ્તપ્રતથી વહેરાઓ અંગે પ્રચલિત વાર્તાઓને ટેકે સાંપડે છે. તદુપરાંત એમના હાદી” વિશે થોડુંક જાણવાનું મળે છે, ખંભાતમાં આવેલ દઈ બેલાઈ અબ્દુલ્લાહની કબર ઉપરના લેખમાં મુeતનસિકતા આદેશથી. એઓ અહીં આવ્યા છેવાનું લખ્યું છે. સુરતનસિર વમનને રાજા હતા. એના ઇતિહાસને લગતી બે-એક અરબી હસ્તકતા મુબઈના સેન્ટ્રલ લાઇબ્રેરીમાં છે, જે વાંચી શકાઈ નથી, કદાચ એના અભ્યાસથી વધુ વિગત પ્રકામાં આવે. આ લેખમાં અલજિરિયાને પણું ઉલેખ છે. આફ્રિકાના ક્ષેત્તરના દેશને મુસલમાન સામ્રાહક રીત “ગાબ' તરીકે ઓળખે છે, જેમાં અલાજેરિયાનો સમાવેશ થાય છે અને “મરિયા મલાઈ શબ્દ વધારે પ્રચલિત જોવા મળે છે, પણ એ બે હાંકતા જેવા પછી આગળ વાત કરી શકાય. પાદટીપ (૧) મૂળ અરબી હસ્તપ્રતમાં આ જ પ્રમાણે છે, પણ એની નીચે લખેલા ફરસી અનુવાદમાં એટલે વધારે કરવામાં આવ્યું છે કે કૂવાનું પાણી ખારું હતું તે અબ્દુલ્લાહ સાહેબે મીઠું કરી બતાવ્યું, (૨) આ બધા જ પ્રસંગે કરીમ મહંમદ માસ્તર “મહાગુજરાતના મુસલમાનામાં વર્ણવ્યા છે. જુઓ . ૧૩૫-૧૩૬, પણ કોઈ પ્રમાણ આપ્યું નથી. એમણે માત્ર એટલું જ લખ્યું છે કે “શિયાએની દઢ માન્યતા પણ છેક અકારણે તે ના જ હેય.” (૩) શ્રી કરીમ મહમદ માસ્તરે કાકા એકલા અને કાકી એકલી એમ નામ આપ્યાં છે, (મહાગુજરાતના મુસલમાને ૫ ૧૩૬). જાન્યુઆર/૧૯૯૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36