________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
મકરસંક્રાંતિનું દેશવિશે ઋતુપર્વ
શ્રી. દીપક જગતાપ મકરસંક્રાતિ અથવા ઉત્તરાયણનું પર્વ જતુમાં આવી રહેલા પરિવર્તનની છડી પોકારે છે. સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ નિમિતે આ પર્વ ઊજવવામાં આવે છે. ૧૪ મી જાન્યુઆરીએ ઊજવવામાં આવતા આ પર્વ દરમ્યાન દેવે પોતાની લાંબી નિદ્રા બાદ જાગ્રત થતા હોવાની માન્યતાને પગલે આ દિવસે લકે દાનપુણ્ય કરે છે.
ભારતની સંસ્કૃતિ અને એના તહેવાર હંમેશાં વિવિધતાસભર રહ્યા છે. દર વર્ષે ૧૪ મી જાન્યુઆરીએ આવતો પતંગોત્સવ સમગ્ર દેશમાં હોંશભેર ઊજવાય છે. (ઈ.સ. પ્રમાણે તે એ પ્રતિવર્ષ ૧૨ મી એ, પછી ૧૩ મી એ અને હવે ૧૪મી જાન્યુઆરીએ હોય છે.)
આ દિવસે લેકે પ્રાત:કાળે વહેલા ઊઠી, સ્નાન કરી શરીર તોપ લગાડે છે, દિવસે સૂર્યનું પૂજન કરે છે. અગ્નિમાં તલ હોમવાને પણ રિવાજ છે. એ પૂર્વજોને પણ અર્થ આપે છે. આ દિવસે સમગ્ર ભારતભરમાં તલને જ ઉગ થવા પાછળની એક માન્યતા એવી પણ છે કે એનાથી પાપને નાશ થાય છે. સ્ત્રીઓ ખાસ વસ્ત્રાલંકાર ધારણ કરે છે. આ દિવસે શેરડી મૂકવાને રિવાજ પણ છે. એનાથી દાંત સાફ થાય છે. એ દિવસે નાગરવેલનાં પાન, કંકુ, નાળિયેર તથા અન્ય મસાલા અને વસ્ત્રનું દાન પિતાની માતાઓ પુત્રીને અથવા તે એમની જ્ઞાતિની અન્ય સ્ત્રીઓને કરે છે. વળી બ્રાહ્મણને દાન આપવાને પણ રિવાજ છે. બ્રાહ્મણને ઘડો ગાળ તલ ન સેનું રૂપું તથા કપડાનું તેમજ ગાય અને ઘડાનું દાન પણ યજમાન પોતાની શક્તિ મુજબ આપે છે. આ દિવસે કેટલાક લોકો ઉપવાસ કરે છે અને અન્ય લોકે સારી વાનગીઓ બનાવે છે. આ દિવસે અભદ્ર ભાષણ કરવાની તેમજ ઘાસ કાપવાની કે પાન તેડવાની તેમજ ગાય ઘેટી કે બકરીને દેહવાની પણ મનાઈ હોય છે.
જદા જુદા પ્રાંતમાં આ પર્વ જુદાં જુદાં રીતરિવાજો સાથે ઊજવાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં એ સર્વ પૂજન પિતૃતર્પણ અને તલ સાથે મુસદાન કરવાને કે બ્રહ્મભોજન કરાવીને એમને દક્ષિણામાં કાચી ખીચડી કે સીધા સાથે એ કુંભમાં તલના લાડુ દક્ષિણ તથા ફળફળાદિ આવપાને શિરચ્છે છે. મંદિરમાં દેવદર્શન કરા ગાયનું પૂજન કરે છે.
ગૃહસ્થ પિતાની નવી પરણેલી દીકરીને ઉત્તરાયણનું દાન આપે છે તેમાં કુંડી ગળી કે મોટું વાસણ આવે છે, જેમાં સાકર ગોળ કે ખારેક ભરે છે. રાજસ્થાનમાં ‘સુઘટ' કે “મહારાષ્ટ્રમાં “માંગલિક” નિમિત્તે પરણેલી દીકરીને આ જ પ્રમાણે દાન અપાય છે. સૌરાષ્ટ્રમાં ખીસર (સંરક્ષણ દિવસને ઘસારો એછા થવાને દિવસ) પર્વ ઉજવાય. ગાય બળદોને નદીએ લઈ જઈ નવરાવે, પજે, હાર પહેરવે, અલંકારેથી શણગારે અને પછી દેડસ્પર્ધા જાય.
અબ મદ્રાસ તામિળનાડુ કેરલ વગેરે દક્ષિણ ભારતમાં આ દિવસે ખીર બનાવી ઇદ્ર વગેરે દેવને ધરાવાય, ગાયનું પૂજન થાય. તમિળનું નવું વરસ આ દિવસે શરૂ થાય છે. એમને આ તહેવાર પગળ’ને નામે જાણીતો છે.
બંગાળમાં આ દિવસે રાચરચીલા ઉપર ઘાસની દેરીએ બાંધવામાં આવે છે. એનાથી ખેતીને પાક ખૂબ ઊતરે એવી કામના કરવામાં આવે છે. એ દિવસે લેકે ગંગાની શાખા હુગલી નદીમાં
[અનુસંધાન પા. ૨૩ નીચે] પથિક
જાન્યુઆરી/૧૯૯૧
For Private and Personal Use Only