Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 3
________________ પ્રવચન-૧૭ રતિ–અરતિ ” ૧૫મું પાપસ્થાનક અનંતાનંત ઉપકારી અનન્તજ્ઞાની અનાદશની અનન્તશક્તિમાન ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળોમાં અનન્ત નમસ્કારપૂર્વક .. आदौ रागस्तत : द्वेषस्तस्मात् क्लेशपरम्परा । तद्वदादौ रतिश्चारतिस्तत : कर्म बन्धनम् ॥ પહેલા રાગ ઉત્પન્ન થાય છે, પછી તેમાંથી શ્રેષને પ્રાદુર્ભાવ થાય છે અને તે બંનેથી કલેશની પરંપરા ઉભી થાય છે. જેવી રીતે રાગદ્વેષનું આ ચક્ર ચાલે છે, તેવી જ રીતે રતિ-અરતિનું ચક્ર પણ ચાલે છે. સૌ પ્રથમ કઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર રતિ ઉત્પન્ન થાય છે પછી તે ઈષ્ટ પ્રાપ્તિ ન થવી, અહંકારના ઘર્ષણથી વિગેરે કાઈપણ કારણસર તે વ્યક્તિ ઉપર અથવા અન્ય વ્યક્તિ, વસ્તુ ઉપર અરતિ (અરૂચિ) ઉત્પન્ન થાય છે. આ બંનેથી કર્મબંધ થાય છે અને આ ચક ચાલ જ છે. એક તરફ આમા રાગ-દ્વેષના વિષચકમાં ફસાયો છે જેના પરિણામે તે કલેશ-કષાયની પરંપરાથી મુક્ત રહી શકતો નથી અને બીજી બાજુ તેવું જ વિષચક્ર રતિ-અરતિનું ઉભું છે. આ ચક્રમાં પરિભ્રમણ કરીને કમબંધ કરતા કરતા આત્માનો અનંતકાળ પસાર થયો છે. છતાં પણ ઘાંચીની ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરતા તેને અંત આવતો નથી. આ વિષવર્તુળમાંથી છુટીને, ભાગીને જીવ જે બહાર આવે તો તે આમા સ્વતંત્ર રૂપે પોતાના વિષયમાં કંઈ વિચારી શકે. * માનસશાસ્ત્રના અભ્યાસપૂર્વક આપણે આપણુ વૃત્તિઓનું અવલેકન કરીએ તે સમજાશે કે રાગ-દ્વેષ થવામાં પણ રતિ–અરતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44