Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૭૨૪ પુત્ર, જૂ વિગેરે, પુત્ર પણ પિતાના જ અંગમાંથી ઉત્પન્ન થાય છે. અને જૂ પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. પુત્ર વીર્યથી ઉત્પન્ન થાય છે. અને જૂ વિગેરે પસીનાથી ઉત્પન્ન થાય છે, બંને અંગજ હોવા છતાં પુત્ર ઉપર રતિ છે, નેહ છે અને માથા ઉપર જે જૂ છે તેના ઉપર અપ્રીતિ છે. અરતિ-દ્વેષ છે. જે રતિ-અરતિ ન હોય તે બંનેમાં કોઈ ફરક નથી. રતિ–અરતિની પરિવર્તનશીલતા આ બંનેમાં બહુ ઝડપી પરિવર્તન આવે છે. આજે રતિ છે, કાલે અરતિ થશે, ક્ષણ ક્ષણમાં બદલાતી આ પ્રક્રિયા છે. આ મનોગત વૃત્તિ છે. આથી મન જેવી ચંચળતાને મને ગતવૃત્તિઓ પણ અનુસરે છે. રાગશ્રેષના પરિવર્તનની સાથે રતિ–અરતિનું પરિવર્તન પણ થાય છે. ગરમ ગુલાબી, ગળી ચા મળે તો તે મન રાજી થઈ જાય છે. પણ ઠંડી, મળી, કડક ચા મળે તે મન નારાજ થઈ જાય છે. તેવી ચા મેંમાં પણ જતી નથી, કદાચ ગુસે આવે તે કપરકાબી પણ ફેંકી દે. ચામાં સપ્રમાણ સાકર છે તે રતિ છે. પણ જો ભૂલથી પત્નીએ ચા માં મીઠું નાંખી દીધું તે એકદમ અરતિ થશે. ચા ગરમ જોઈએ. પાણી તે ઠંડુ જ જોઈએ. દુધ તે હુંફાળું જોઈએ. આ રીતે રતિ-અરતિના ભાવે ક્ષણ ક્ષણમાં બદલાતા રહે છે, અને માટે જ રતિ–અરતિને જુદી જુદી કરીને સવતંત્ર પાપસ્થાન નથી કહ્યું, પતિને પંદરમું પાપસ્થાન અને અરતિને સોળમું પાપ એમ ન કહેતાં બંનેને પંદરમાં પાપસ્થાનમાં સમાવેશ કર્યો છે. આનું કારણ છે કે રતિ-અરતિ જે ઉત્પન્ન થાય છે તે એક જ પગલિક વસ્તુના સંગ-વિયોગથી ઉત્પન્ન થાય છે. વસ્તુ એક જ છે. એની સંયેાગ વિયાગની અવસ્થા જુદી જુદી છે. આથી ત૬ જન્ય રતિ-અરતિ ભાવ પણ ભિન્ન ભિન્ન છે, પરંતુ મૂળ ઉદ્ગમરથાન તો એક જ વસ્તુ કે વ્યક્તિ છે. અને બીજું કારણ એ છે કે આ અનુકુળતાથી કે પ્રતિકૂળતાથી ઉત્પન માનસિક કલ્પના માત્ર છે, સંગને વિગ થાય છે, જે કારણ-પ્રસંગથી માનસિક આનંદ ઉત્પન્ન થયો હતો, રતિ થઈ હતી, તે કારણ પ્રસંગના હટી જવાથી, નાશ પામવાથી માનસિક શાક, અપ્રીતિ દુખ પણ થાય છે. જગત પરિવર્તનશીલ છે, માટે રતિ-અરતિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44