Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૭૩૧ (૩) શું દુઃખ મિશ્રિત સુખ જોઈએ કે એકલું શુદ્ધ દુઃખનિરપેક્ષ સુખ જોઈએ? (૪) સ્વતંત્ર સુખ જોઈએ કે પરતંત્ર, પરાધીન, પરાવલંબી સુખ જોઈએ? (૫) શું તમારે ભૌતિક-પૌગલિક સુખ જોઈએ કે આત્મિક આધ્યાત્મિક સુખ જોઈએ? (૬) શું તમારે મન, વચન, ઈદ્રિથી ભેગવી શકાય તેવું સુખ જોઈએ કે એના વિના પણ સ્વયં આત્મા જ સુખને અનુભવ કરી શકે એવું સુખ જોઈએ? જેવી રીતે આંખે ચાલી જાય તે પણ આત્માને જેવાને આનંદ મળતો જ રહે? (૭) અંતે પુછું છું કે તમારે સુખ જોઈએ છે કે આનંદ જોઈએ છે? ઠીક છે. અધ્યાત્મ માર્ગની અંદર આવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત. થઈ શકે છે ? પરંતુ હવે તમે જ તેને સાચો ઉત્તર આપે. તમારી. ઈચ્છા શું છે? એક વાત તે નિશ્ચિત છે કે તમે કેઈને પણ પુછો તે કોઈપણ એવું તો નહીં જ કહે કે મને ક્ષણિક, આવીને ચાલ્યું જાય તેવું, અથવા દુખ મિશ્રિત સુખ, પરતંત્ર કે પરાધીન સુખ જોઈએ છે ! આવું તે કઈ સ્વપ્નામાં પણ નહીં કહે. પરંતુ ભૌતિક પૌગલિક સુખ જોઈએ કે આધ્યાત્મિક સુખ જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર આપવામાં કેટલાય લોકે ભૂલ થાપ ખાઈ જશે. એવી રીતે મન–શરીર–ઇન્દ્રિયોથી જે જોગવી શકાય એવું કે એના વિના પણ ભેગવી શકાય એવું સુખ? અથવા તે વિષય વાસના જન્ય વૈષયિક સુખ જોઈએ કે નિર્વિષયક સચ્ચિદાનંદ, પરમાનંદ, સ્વગુણરમણાતાનું સુખ જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપવાનું કામ મુશ્કેલ છે. કારણકે તમે કયારેય પણ આધ્યામિક-નિત્ય, સ્વતંત્ર નિર્વિષયક, શાશ્વત, અનન્ત સુખની કલ્પના જ નથી કરી. આથી તમારી પાસે તે માત્ર અનુકુળ પદાર્થોમાં રતિજન્ય સુખની જ કલ્પના છે. આટલું જ તમારા જ્ઞાનમાં ભાસે છે. એનાથી ભિન સુખના વિષયમાં તમે કદી ચિંતન પણ કર્યું નથી. મન–શરીર-ઈદ્રિય વિના પણ આમા સુખને અનુભવ કરી શકે છે? એ વાત તમારી બુદ્ધિમાં બેસતી જ નથી. તેથી તમે કેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44