Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 42
________________ ૭૩૮ આત્મા નિત્ય-શાશ્વત છે. અને કર્મો નિત્ય–શારવત નથી. અનિત્ય-અસારવત છે. આત્મા અનાદિ-અનન્ત છે. અને કર્મો સાદિસાન્ત છે. તે પછી સાદિ-સાત કર્મો અનાદિ-અનન્ત કેવી રીતે થઈ ગયા? કઈ પણ કર્મો ૭૦ કડાકેડી સાગરોપમ થી વધારે સ્થિતિવાળા નથી. તે તે પછી કર્મોને વહેલે છુટકારે થઈ જાય અને આત્મા મુક્ત થઈ જાય પરંતુ કર્મોની પરંપરા ચાલે છે. એક વાર એક કર્મ બંધાય અને ઉદયે એ ક્ષય પામે ત્યારે તે ફરીથી બીજા નવા કર્મો પણ બંધાઈ જાય છે. અને કર્મ એક જ વાર બંધાય છે એમ નથી પરંતુ પાપો વારંવાર થતા વારંવાર કર્મો બંધાતા જાય છે. એવી રીતે આદિ-સાન્ત કર્મો હોવા છતા પણ આમાની સાથે તેની પરંપરા છે ચાલવાથી અનાદિ-અનન્ત છે. સાધક કર્મનું આ સ્વરૂપ સમજીને તેને છોડવા પુરૂષાર્થ કરે એ જ હિતાવહ છે. રતિ–અરતિ નું પાપ એ સંસાર ભાવનાનું આશ્રયભૂત કારણ છે, જેમ જેમ રતિ-આરતિનો પા૫વૃત્તિ વધતી જશે તેમ તેમ સ સાર વધતે જવાને. હવે રતિ-અરતિની ધારા નથી ઘટતી તે તેના વિષય ને બદલાવીએ ધર્મ–ધર્મોપકરણ, ધમરાધના તરફ રતિ ભાવને વાળીએ જેથી સંસારના વિષયેની સામે ધરે અને સંસારના વિષયેની અરતિ ઘટાડીએ તે ધર્મ તરફનો શુભ રતિ ભાવ વધે આ બને રતિ-અરતિ પાપકર્મો ને કાઢવા માટે સર્વજ્ઞ ભગવંતે વિરતિધર્મની પ્રરૂપણ કરી છે. વિરતિ ધર્મમાં રહેવાથી સંસારના રતિ–અરતિના નિમિત્તે ટળતા જાય છે. ઓછા થતા જાય છે. વિરાતિધર્મથી આત્મા મોક્ષની સમીપે પહોંચે છે. અવિરતિ થી સંસાર વૃદ્ધિ થાય છે અને વિરતિથી સંસાર ઘટે છે. :; * નિHT : 7 F......... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44