Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 30
________________ ૭૨૬ - વધારે દુઃખી બનીએ છીએ. હવે માત્ર દષ્ટિનું પરાવર્તન કરીને નથી ની અપેક્ષાએ શું છે? એ જોવાનું શરૂ કરી દઈએ તે તરત જ તમે સુખી બની જશે. સુખી બનવાને આ સરળતમ ઉપાય છે. ઉણપની ઉપસ્થિતિ ન કરતાં શું શું છે? તેને વિચાર જે પ્રધાનપણે કરવામાં આવે તે તરત જ ચિંતા દૂર થઈ જાય છે. દુઃખને પણ સુખ માનવું એ જ મહાનતા છે. પથરાને પગથીયું બનાવવાની કળા જે હસ્તગત થઈ જાય તે ધરતી ઉપર વર્ગનું અવતરણ થઈ શકે !!! રતિ-અરતિના પાપથી કમબંધ મોહનીયકર્મના ઉદયથી રતિ-અરતિ થાય છે અને તેનાથી ફરી મેહનીયકર્મ બંધાય છે. આમ આ વિષવર્તુળ ચાલુ જ રહે છે. આજે જે જે વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે આપણે રતિઅરતિ રાખીએ છીએ તેનાથી ફરી મેહનીય કર્મને પ્રબળ બંધ થાય છે અને પછી ભવાતંરમાં આ પાપી સંસ્કાર વશ ફરી રતિ-અરતિની પ્રવૃત્તિ થશે અને ફરી કમબંધ થશે. ઉદયકાળે ફરી પાપબંધ આમ અનંત પરિકમ્માથી પણ તેને અંત આવો મુશ્કેલ છે. એને અંત દુધરે છે. અને તેથી અનંત જમે વીત્યા પછી પણ હજી તે ઠંદ્રથી જીવને મુક્તિ મળી નથી. અઢાર પાપસ્થાનેમાંથી કેટલાક પાપ પાપસ્થાન પણ છે અને કેટલાક પાપ રવયં કમ પ્રકૃતિ રૂપે પણ છે. જેવી રીતે ક્રોધ, માન, માયા, લેભ રાગ દ્વેષાદિ કમ પ્રકૃતિ રૂપે છે. આ બધી મેહનીયકર્મની પ્રકૃતિ છે. એ જ રીતે રતિ–અરતિ પાપસ્થાન છે. અને મેહનીય કર્મની નવનેકષાયમાં હાસ્યાદિ ષટ્રકની અંદર રતિ અરતિને સમાવેશ થાય છે. હવે આ કર્મના ઉદયથી આ પ્રવૃત્તિ અને ફરી એ પાપ પ્રવૃત્તિથી ફરી કર્મ પ્રકૃતિને બંધ. ઈડા અને મરઘી, બીજ-વૃક્ષની જેમ આ ક્રમ ચાલુ છે. આ કર્મચકમાંથી છુટકારો કયારે થશે ? છેવટે કયારેક તે આ કમ તેહ જ પડશે! એને ઉપાય અહીં જ છે. આજે જ રતિ-અરતિની પાપ પ્રવૃત્તિ બંધ કરી દે, જરૂર આગળ આ કર્મ નહીં બંધાય અને એકવાર આ કર્મબંધથી બચી ગયા તે પછી આગળ તમારે બચાવ સુશકય છે. હવે કમથી જે તમે બચવા ચાહે છે તો સૌ પ્રથમ પાપથી બચવું જરૂરી છે. અઢારે પાપસ્થાનકેની નિવૃત્તિ સ્વીકારો. આ બધા હેય-ત્યાજ્ય છે. વજર્ય છે. અનાચરણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44