Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૭૧૫ શાશ્વત રહે છે. આ આત્માની મેહ દશા એટલી વિચિત્ર છે, અજ્ઞાન પણ એટલું પ્રબળ છે, કે જે નિત્ય અવિનાશી શાશ્વત આત્મા છે, તેને માટે કોઈ પ્રયત્ન કરતા નથી, એના ઉર્વીકરણની ચિંતા નથી અને જે નાશવંત-ક્ષણિક પુગલની પાછળ લાખો પ્રયત્ન કરીને પોતાની શકિત વેડફી રહ્યો છે. શું આ વિરુદ્ધ પ્રયત્ન નથી? અરે, ભાઈ વિનાશી જડ તત્તના સંગ અને વિયેગમાં રાજી અને નાખુશ શા માટે થાવ છે? તેમાં રતિ અરતિ શા માટે રાખે છે? અને વળી આ ભાવે પણ ફરતા રહે છે. એક વસ્તુ એક કાળે તમને રતિ પેદા કરી શકે છે. તે જ વસ્તુ અન્ય કાળે તમારા માટે અરતિનું કારણ પણ બનતી હોય છે, અને આવા વિષમ ભાવોનું વિષમય ચક્ર સદા માટે ચાલુ જ છે. અને આત્માની બરબાદી થાય છે. જેને જે સ્વભાવ છે. સ્વરૂપ છે, તે પ્રમાણે તે બને છે. એમાં આપણે રાજી-નારાજી રાખવાની હતી જ નથી, સુગંધ કે દુર્ગ ધ બંને પુગલને સ્વભાવ છે. તે પછી આત્માએ શા માટે સુગંધમાં રતિ રાખવી અને દુધમાં અરતિ રાખવી? પુદ્ગલને એણે તે બંનેમાં જ્ઞાના, દષ્ટાભાવ રાખીને જીવવું જોઈએ. કર્તા, ભેટતા ભાવ આત્મા માટે બાધક છે માટે તેનાથી અળગા રહેવું જોઈએ. રતિ–અરતિ ભાવ ઉત્પન્ન થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણી પાસે પદાર્થોનું વાસ્તવિક તત્ત્વજ્ઞાન નથી. દ્રવ્યોનું વાસ્તવિક સ્વરૂપ આપણે જાણતા નથી માટે આ ભૂલનું પુનરાવર્તન થાય છે. આપણા જીવનની કમનસીબી એ છે કે આપણે જીવનમાં તત્વજ્ઞાનને સ્થાન આપ્યું નથી, મહત્ત્વ આપ્યું નથી અને યથાર્થ તત્વજ્ઞાન વિના સમ્યગજ્ઞાન શી રીતે આવશે ? અને સમ્યગૂજ્ઞાન વિના આધ્યાત્મિક જ્ઞાન કે સાધના શી રીતે થઈ શકશે? આજે સેંકડો પદાર્થો મળ્યા પછી પણ આપણે દુઃખી કેમ છીએ? અપૂર્ણતાને, અસલામતીને અનુભવ શા માટે થાય છે? મોહ અને અજ્ઞાન આના માટે જવાબદાર છે. પ્રભુએ સાચે જ કહ્યું છે કે, “ના રઘુ મામચં” અજ્ઞાન એ મહાભય છે. આ જ ભયંકર નુકશાન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44