Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 426
________________ સંલખનાવઝુકી અભ્યધત મરણ | ગાથા ૧૯૨-૧૯૩ ૪૦૧ ગાથાર્થ : સર્વત્ર અપ્રતિબદ્ધ, જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ, ચરણપરિણામથી યુક્ત જે છે, તે આરાધક કહેવાયા છે. ટીકા : सर्वत्राप्रतिबद्धः इहलोके परलोके च, तथा मध्यस्थो जीविते मरणे च-न मरणमभिलषति नापि जीवितमित्यर्थः, चरणपरिणामयुक्तो, न तद्विकलो, य एवंभूतः स आराधको भणितस्तीर्थकरगणधरैरिति ટીકાર્ય : સર્વત્ર=આલોકમાં અને પરલોકમાં, અપ્રતિબદ્ધ, તથા જીવિતમાં અને મરણમાં મધ્યસ્થ અર્થાત્ મરણને ઈચ્છતા નથી - જીવિતને પણ નહીં=ઈચ્છતા નથી, ચરણપરિણામથી યુક્ત, તેનાથી વિકલ નહીં ચારિત્રના પરિણામથી રહિત નહીં: આવા પ્રકારના જે છે, તે તીર્થંકર-ગણધરો વડે આરાધક કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મહાત્મા આલોકમાં અને પરલોકમાં અપ્રતિબદ્ધ છે અર્થાત્ આલોકના રમ્ય કે અરણ્ય પદાર્થો પ્રત્યે અથવા લોકોની લાગણી કે અલાગણી પ્રત્યે અથવા દેહની શાતા કે અશાતા પ્રત્યે પ્રતિબંધ વગરના છે, તેમ જ પરલોકના પણ તેવા કોઈ ભાવો પ્રત્યે અભિલાષા વગરના છે, માત્ર આત્માના નિરાકુળ ભાવોમાં જ સુદઢ વ્યાપારવાળા છે. આથી જ જીવન-મૃત્યુ પ્રત્યે મધ્યસ્થ છે અર્થાત્ દેહમાં થતી પીડાને કારણે મરવાની ઈચ્છા કરતા નથી, કે પોતાને ભક્તિથી વંદનાદિ કરતા લોકોને જોઈને જીવવાની ઇચ્છા કરતા નથી, માત્ર સિદ્ધાત્માઓ સંદેશ તદ્દન સંગ વગરના આત્મભાવોને ઉલ્લસિત કરવા અર્થે શાસ્ત્રવચનથી ભાવિત થવાનો યત્ન કરે છે. આથી જ શુદ્ધ આત્મભાવમાં જ ચરવારૂપ ચારિત્રના પરિણામથી યુક્ત છે, પરંતુ ચારિત્રના પરિણામથી રહિત નથી. આવા પ્રકારના અનશની મહાત્માને તીર્થંકર-ગણધરોએ આરાધક કહ્યા છે. ૧૯૯૨ અવતરણિકા : अस्यैव फलमाह - અવતરણિકાર્ય : આના જ=ગાથા ૧૬૯૦થી ૧૯૯૨માં કહ્યું એવા અનશની મહાત્માના ચારિત્રના પરિણામના જ, ફળને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460