Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 66
________________ FIOCCOLATOKON ૨૫. કર્મની ગતિ ન્યારી શ્રીમદ્રના હૃદયમાં પૂર્વસંસ્કારરૂપે વૈરાગ્ય વિદ્યમાન હતો, પરંતુ કર્મની ગતિ એવી જારી કે સંસારથી સર્વથા ઉદાસીન હોવા છતાં એમને સંસારમાં પ્રવેશ કરવો પડે છે. કોઈ અવધુતના હૃદયમાં હોય એવો વૈરાગ્યનો રંગ હૃદયમાં હોવા છતાં તેઓ સર્વસંગ પરિત્યાગનો મનોરથ સફળ કરી શકતા નહોતા, એમણે સાંસારિક પ્રસિદ્ધિ અને પ્રશંસા વર્ષાવતાં અવધાન-પ્રયોગો કરવાની કે જ્યોતિષજ્ઞાનની પ્રવૃત્તિને તિલાંજલિ આપી, પરંતુ માતા-પિતા કે સ્વજનોએ શ્રીમદ્ને ગૃહસ્થાશ્રમમાં જોડાવવા માટે ખૂબ દબાણ કર્યું અને આથી જ હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવનાની ભરતી ઊછળતી હોવા છતાં એમણે ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કર્યું. ‘જીવતો જોગી' થવાની એમની ઇચ્છાને માતા દેવબાઈએ સ્વીકારી નહિ. કરુણાસાગર શ્રીમદ્દનું હૃદય માતૃવાત્સલ્ય સમક્ષ દ્રવી ગયું. આ સમયે વિ. સે. ૧૯૪૪ના પોષ વદ ૧૦ના દિવસે શ્રીમદ તેમના બનેવીને લખે છે, | “લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.” | “લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કોઈ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ તેઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પોષની) તે રોજ અહીંથી રવાના થાઉં આ પત્ર પરથી ખ્યાલ આવે છે કે લગ્ન માટે શ્રીમદ્દની લેશ માત્ર આતુરતા ન હતી, પરંતુ બીજી બાજુ એમણે સ્વજનોની લાગણીને સ્વીકારીને લગ્નનો અનાદર પણ ન કર્યો. હૃદયમાં તો નિગ્રંથ માર્ગ તરફની યાત્રા અવિરત ગતિએ ચાલતી હતી. ૨૧ વર્ષનો નવયુવાન ગૃહસ્થજીવનમાં પ્રવેશતી વખતે પણ કેવી અમોહબુદ્ધિ અને વિવેકદૃષ્ટિ ધરાવે છે ! જેવી રીતે પોતાના કુટુંબને ખાતર એમણે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરી, તેવી જ રીતે તેઓની ઇચ્છાથી “અંત:કરણશુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર” હોવા છતાં વિ. સં. ૧૯૪૪ના પોષ મહિનામાં તેઓ વવાણિયા ગયા. અહીં રેવાશંકર જગજીવન ઝવેરીના મોટાભાઈ પોપટભાઈ ઝવેરીનાં સુપુત્રી ઝબકબાઈ સાથે મહા સુદ બારસે લગ્નગ્રંથિથી જોડાયા. પૂર્વ કર્મના લીધે સંસારસુખ પ્રત્યે ઉદાસીન હોવા છતાં તે ભોગવવું પડતું હતું. આવી પરિસ્થિતિ તેમના હૃદયમાં તુમુલ ઘર્ષણ જગાવતી હતી. એમની વ્યથા અને વેદના એટલી હતી કે તેઓ પોતાને સોથી વધુ દુખિયા ગણતા હતા. શ્રીમની મહત્તા એ હતી કે એમના એ દુ:ખ કે વેદનાને સમજનારુ એપાસ કોઈ સ્વજન નહોતું, એટલે એમને સર્વ ખેદ પોતાના હૃદયમાં જ સમાવવો પડતો હતો. તેઓ લખે છે, “અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે ? જેને સ્વપ્ન પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, તેમાં જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. ” આવા મહાવૈરાગી શ્રીમદને સંસારની માયા કેમ સ્પર્શી શકે ? અન્યત્ર તેઓ કહે છે, “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો આ આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી.” શ્રી રાજચંદ્રજીને છગનલાલ (જન્મ વિ. સં. ૧૯૪૬) અને રતિલાલ (વિ. સં. ૧૯૫૨) એમ બે પુત્રો તથા જવલબા (વિ. સં. ૧૯૪૮) અને કાશીબા (વિ. સં. ૧૯૫૦) એમ બે સુપુત્રીઓ હતી.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258