Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 168
________________ ક ૧૬૮ : મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત. - સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂમ કષાય કુશલ – પૂર્વોક્ત ચાર કારણસિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય. તેને યથાસૂમ્કષાય કુશીલ કહે છે. આ નિગ્રંથનોકષાયજો સંવલનની કોટિથીવધી જાય તો તે અન્યનિગ્રંથપણાને અથવા અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ – રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧,૧૨માં ગુણસ્થાનવર્સી વીતરાગ સાધકનેનિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદયહોવાથી તે છઘસ્થ હોય છે અર્થાત્ છવસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે. પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શેલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વપ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વ નિગ્રંથો અપ્રથમવર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક સર્વનિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છબસ્થા વસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. અચરમસમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વાની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. યથાસૂમ નિગ્રંથ – પ્રથમ-અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂમનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે. બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210