Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 185
________________ થી ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૦ : વંદન વ્યવહાર ચર્ચા ૧૮૫ ) ભાવી પેઢીને ધર્મમાં જોડવાને માટે વરદાનરૂપ બનવું જોઈએ. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાન - જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે. તેમજ તેનું યથાસમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સરામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માર્થી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિયને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે. જો એ દૂષિત આચારવાળા કયારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથ આવશ્યક સંયમ પજ્જવાની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે. આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બન્ને બગાડીને દુર્ગતિના ભાગી બને છે. શુદ્ધાચારવાળાને વિવેક જ્ઞાન - ભાગ્યશાળી જીવોને જ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધનાનો સંયોગ અને ઉત્સાહ પ્રાપ્ત થાય છે. જેમ ધનથી ધનની વૃદ્ધિ થાય છે તેમજ ગુણોથી ગુણોની વૃદ્ધિ જ થવી જોઈએ. તદનુસાર શુદ્ધાચારી હોવાનો આત્મ વિશ્વાસ રાખવાવાળા સાધકોએ પોતાની સાધનાનો કયારેય પણ ઘમંડ નહિ કરવો જોઈએ. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો અપકર્ષ કરવાની વૃત્તિ નહિ રાખવી જોઈએ. જેટલા પણ અન્ય સ્વગચ્છીય કે પરગચ્છીય શુદ્ધાચારી ઉત્કૃષ્ટાચારી શ્રમણ છે તેઓ પ્રત્યે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો ભાવ ન રાખતાં આત્મીય ભાવ પૂર્વક તેઓનો પૂર્ણ સત્કાર, સન્માન, વિનયભાવ વગેરે રાખવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210