Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 202
________________ ર૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે જીવડો આમ તેમ બહુ રે મુંઝાશે. વિંછી ની વેદના થાય.....રોજ ૨ | સ્મશાન માં તારા માટે લાકડા મુકાશે ઉપર સુવાડી પછી આગ લગાડશે. ભડ ભડ બળસે તારી કાયરોજ ૩છે. બારમા દિવસે તારા લાડવા ખવાશે. બે પાંચ વરસમાં તને ભૂલીયે જાશે ! વાતો વિસરાય જાય.............રોજ || ૪ || મહાવીર કહે સહુ ચેતીને ચાલજો વીતરાગ વાણીને, જીવનમાં ઉતારજો! પાણી પેલા બાંધી લેજો પાળ..........રોજ | ૫ | દુર્ગુણને ચેલેંજ રાગઃ ધીરે ધીરે બોલી દુર્ગુણને કોઈકહી આવો, કહી આવો કોઈકહી આવો, સંદેશો મારો દઈ આવો, દઈ આવો કોઈ દઈ આવો. તારા તાબે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી, દુર્ગુણ ને કોઈ કહી આવો / ટેર છે. ક્રોધને કહેજો લઈ આવે હથિયાર, ઢાલ ક્ષમાની રાખી મેં તૈયાર ! કોઈ ગાલ દે એને પ્યાર કરૂં, શક્તિ છતા સમતા ધરુ | પણ ક્રોધી મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી / ૧ / માન ને કહેજો આવે રણ મેદાન, નમ્ર બનીને ખેલું હું સંગ્રામ ! મને જે મળ્યું મારું નથી, બીજા થકી સારું નથી | અભિમાની મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી / ૨ / માયા ને કહેજો છોડે એના બાણ, નિર્મલ થઈને આપું છું આહ્વાન ! સુખ ના મલે તો ના મલે, દુ:ખ ના ટળે તો ના ટળે ! પણ કપટી મારે થવું નથી, અને દુર્ગતિમાં હવે જવું નથી // ૩ / લોભ ને કહેજો તું સહુનો સરદાર, મારે પણ સંતોષ તણો સહકાર તું ઘા કરે તૃષ્ણા તણો, હું સાથ લઉં તૃપ્તિ તણો | પણ લોભી મારે થવું નથી, અને દુર્ગતિ માં હવે જવું નથી || ૪ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210