Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 177
________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૯ : પાસસ્થાદિ સ્વરૂપ 00 પ્રથમ શ્રેણીવાળાની પ્રરુપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરુપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે. બીજીશ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડેછે, અનેક આચાર સંબંધી સૂક્ષ્મ-સ્થૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે. ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર-વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મુહૂર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે. ૧૦૦ મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર યા પગમાં માત્ર ખીલી ખૂંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે. આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉધતવિહારી-ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે. પરસ્પર વંદન નિર્ણયઃ (૧) બીજી અને ત્રીજી શ્રેણીવાળા પહેલી શ્રેણીવાળાને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી ત્રીજી શ્રેણીવાળા પરસ્પર યા શુદ્ધાચારી છએનિગ્રંથોને વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૨) શુદ્ધાચારી ઉક્ત ત્રણે શ્રેણીવાળાઓને વંદન આદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ બીજી અને ત્રીજી શ્રેણીવાળાઓને ગીતાર્થ-બહુશ્રુતના નિર્ણય અને આજ્ઞાથી વંદન કરે તો પ્રાયશ્ચિત્ત નથી આવતું. (૩) શુદ્ધાચારી શુક્રાચારીને વંદન કરે તો કોઈપણ પ્રાયશ્ચિત્ત નથી આવતું અને શિથિલાચારી શિથિલાચારીને વંદન કરે તો તેને પણ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. (૪) પ્રથમ શ્રેણી સિવાય કોઈને સકારણ પરિસ્થિતિમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞા થવા પર પણ જો વંદન આદિ વ્યવહાર ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. (૫) શુદ્ધાચારી પણ જો અન્ય શુદ્ધાચારીને વંદન આદિ ન કરે તો તે પણ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે અને જિન શાસનના અપરાધી થાય છે. પાસસ્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ પાસસ્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ Jain Education International છે -: For Private & Personal Use Only www.jainelibrary.org E

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210