________________
ક ૧૬૮
:
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત.
-
સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય, તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂમ કષાય કુશલ – પૂર્વોક્ત ચાર કારણસિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય. તેને યથાસૂમ્કષાય કુશીલ કહે છે.
આ નિગ્રંથનોકષાયજો સંવલનની કોટિથીવધી જાય તો તે અન્યનિગ્રંથપણાને અથવા અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ – રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧,૧૨માં ગુણસ્થાનવર્સી વીતરાગ સાધકનેનિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદયહોવાથી તે છઘસ્થ હોય છે અર્થાત્ છવસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે.
પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શેલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ કર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વપ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે સર્વ નિગ્રંથો અપ્રથમવર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ – ક્યારેક સર્વનિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છબસ્થા વસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. અચરમસમયવર્તી નિગ્રંથ :- ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વાની અપેક્ષાએ છે અને ચરમ-અચરમનું કથન પશ્ચાનુપૂર્વાની અપેક્ષાએ છે. યથાસૂમ નિગ્રંથ – પ્રથમ-અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂમનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે.
બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા- (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org