Book Title: Mantra Vigyan Ane Sadhna Rahasya
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 287
________________ ટાઈટલના ચિત્રને પરિચય અમરકુમારની કથા મગધ દેશમાં રાજગૃહી નગરી હતી. ત્યાં શ્રેણક નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજ્ય ઘણું વિશાળ હતું. સમગ્ર મગધનું તે પાટનગર હતું. સમગ્ર મગધ દેશને રાજવી કોણીક હતો. તેની સમૃદ્ધિ અપાર હતી પરંતુ જીવની તૃષ્ણ તેથી અપાર હોવાથી તે તૃપ્ત થતી નહતી. આમ લેવાથી શ્રેણુક રાજાને મહેલે અનેક હેવા છતાં તૃષ્ણાવશાત્ એક નવીન અપ-ટુ-ડેટ મહેલ બનાવવાને વિચાર થયો. પૂર્ણ પુર્યોદયથી સાધન-સામગ્રી મળેલ હતી જ. પછી ઈચ્છા પ્રમાણે કાર્ય થવામાં વિલંબ શા માટે થાય? તરત જ રાજાએ પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવા માટે કારીગરોને બોલાવી કામની શરૂઆત કરાવી. કામ શરૂ થયું. હજારે કારીગરે કામ કરવા લાગ્યા. પરંતુ ત્યાં એક આશ્ચર્યકારી બનાવ બન્યા. તે પ્રસાદ શેડ તૈયાર થાય અને રાત્રિ કાળે તે જમીનદોસ્ત થઈ જાય. ફરી બીજે દિવસે કામ શરૂ કરે અને રાત્રિ સમયે તે જ હાલ થાય. આમ છ માસ સુધી કાર્ય કર્યું, પરંતુ કામ આગળ વધી જ ન શકે. હવે શું કરવું? આમ છ-છ મહિના સુધી કામ પાર ન પડયું; છતાં રાજાને નવીન મહેલ બનાવવાનો મેહ દૂર થયે નહિ. તેની ઈચ્છા તે તેથી પણ પ્રબળ થઈ અને ગમે તે ભોગે પ્રસાદ બનાવવો જ, એવું તેણે નક્કી કર્યું. તેથી રાજાએ જ્યોતિષ-જેનાર પંડિતોને બેલાવીને પૂછયું કે, “આ પ્રસાદ રાત્રિના સમયે કેમ પડી જાય છે?”

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322