Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 156
________________ એકાંતે તપ કર કે જેના દ્વારા યોગનો નિરોધ થાય. વળી મૌન રાખી મનનો વિરોધ કરજે જેથી મન સ્વયં સ્થિર થઈ આત્મિક સુખને પ્રાપ્ત કરે. ચિત્તનો નિરોધ એ નિવણની કેડી છે. ચિત્તની ચંચળતા આત્માના જ્ઞાનસ્વરૂપને બાધક બને છે, જેટલી ચંચળતા તેટલી મલિનતા હોય છે. ચિત્તનો નિરોધ શુદ્ધિને પ્રગટ કરે છે. मुनिना मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु । वदता तापलेशोऽपि त्याज्यः स्वस्य परस्य च ॥ १६५ ॥ ભાવાર્થ : મુનિએ એવું કોમળ, શાંત, સરળ, મધુર અને સ્નિગ્ધ વચન બોલવું જોઈએ કે જેથી પોતાને કે પરને લવલેશ પણ તાપ ન થાય. વિવેચન: મુનિ એટલે જ વાત્સલ્ય મૂર્તિ. ઉપરાંત ક્ષમા આદિ અનેક ગુણોના ભંડાર. મુનિ તો મૌન જ હોય છતાં કથંચિત જો લોકસંપર્કમાં વાણીવ્યવહાર કરવો પડે તો મૌનથી થયેલા સિદ્ધિરૂપ વચન કોમળ હોય. પુષ્પની કોમળતાનો સ્પર્શ સુખદાયક હોય છે, તેમ મુનિની વાણીનો સ્પર્શ કર્ણને થાય ત્યારે તેમાં સુખદ કોમળતા હોય. મુનિની વાણી ધીર ગંભીર અને શાંત હોવી જોઈએ. તે વાણીનું શ્રવણ કરનારનો આંતરિક કોલાહલ શાંત થાય તે વચનમાં આક્રોશ કે આકુળતા ન હોય. મુનિની વાણીમાં કોઈ કપટભાવ ન હોય. સમ્યમ્ ભાવમાંથી ઝરતો વાણીનો સ્ત્રોત અત્યંત સરળ હોય. એ વાણીનો બોધ પામી જીવોના દોષ ટળી જાય. મુનિની વાણી સાકરના જેવી મધુર હોય, સાંભળનારને શ્રવણનો આનંદ આવે. મુનિનાં વચનો દ્વારા જીવોના તાપ ઉતાપ ટળી જાય, જેથી એ વચનો પોતાને કે પરને પીડાકારી ન બને માટે મુનિને પ્રથમ તો વચનગુમિ બતાવી છતાં વાણીનો ઉપયોગ કરવો પડે તો મંગલમય યોગ, Jain Education international 9xlo For Private & Personal Use Only www.jain Olary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222