Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 202
________________ કોઈ સાધક સંસારનો ત્યાગ કરીને જ્યારે વનમાં વાસ કરે છે ત્યારે તેની પાસે મહેલ કે હવેલીમાં રહેતો હતો તેવા પાંચ ઇન્દ્રિયનાં વિષયી સાધનો હોતાં નથી, તેમાં તેને બંધન લાગ્યું હતું તેથી તેણે સઘળો વૈભવ ત્યજીને વનવાસ સ્વીકાર્યો હતો. જ્યાં તેને કોઈ કારભાર કે જનકાર્યો કરવાનાં નથી. કેવળ એકાંત ઇન્દ્રિયોના સુખને બદલે અતિન્દ્રિય તેવા આત્મસુખની ખોજ કરવાની છે. ઈન્દ્રિય વિષયોના સુખની નિઃસારતા જોઈ તેણે વનની વાટ પકડી લીધી જ્યાં તેને વિષયોની જાળમાંથી છુટકારો મળ્યો છે. વનના નૈસર્ગિક વાતાવરણથી ઉત્પન્ન થયેલા વાયુમંડળમાં જનસમૂહના કોલાહલ રહિત શાંત અને સંઘર્ષો રહિત પવિત્રતાનો અનુભવ થાય છે. ત્યાં નિર્દોષ પશુઓ સાથે મૈત્રીભાવનાને કારણે તે ત્યાં નિર્ભય છે. વળી આ વનસેવનનો આશય કેવળ દેહનો અધ્યાસ, દેહનો નેહ ત્યજીને અંતરાત્મામાં રહેલા સાચા સુખની અનુભૂતિનો છે. તેથી કોલાહલ, દૂષિત વાતાવરણરહિત વનવાસમાં તત્ત્વવેત્તા યોગી સુખી આ જગતના સામાન્ય મનુષ્યથી માંડીને ચક્રવર્તી પણ વધતા ભૌતિક પરિગ્રહને ઇચ્છે છે. જ્યારે આ યોગીને તો કોઈ પદાર્થની સ્પૃહા નથી કેવળ દેહને ધર્મનું સાધન માની સાથે રાખ્યું હોય છે, તેમ કેવળ દેહ એ જ તેમને રહેવાનું બાહ્ય સ્થાન છે. અને અંતરંગ સ્થાન તો નિજભાવ, સ્વરૂપ, આત્મા જ છે. યોગીનો વાસ આત્મામાં છે. બાહ્ય પ્રકારે જોતાં યોગી વનવાસમાં આનંદ માણે છે. અંતરંગથી જોતાં જ્ઞાની-યોગી આત્મરમણતાની ખોજમાં મોજ માણે છે. આત્માનંદમાં તદ્રુપ યોગીને ત્રણે લોકનું રાજ્ય પણ તૃણ વત છે. યોગીની એક એક પળ અમૂલ્ય છે. તેઓ વાયુવેગે મુક્તિ પ્રત્યે ધસી રહ્યા છે. જગતના જીવોને કાળે લીધો કે લેશે તેવી દશા છે. યોગીને મોક્ષે લીધો કે લેશે તેવી દશા છે. ક્યાં કાળની પરવશતા અને ક્યાં સ્વરૂપની સ્વાધીનતા ? જેને મહેલ અને જંગલ સમાન છે. જેની કેવળ તત્ત્વરૂપ દૃષ્ટિ છે. તે યોગી વનમાં આનંદિત છે, ધરતી તેની શય્યા છે. કોઈ શિલા તેમનું ઓશીકું છે. વૃક્ષની છત્રછાયા sh યોગીને ત્રણે કરમણતાની ખોજ આનંદ માણે છે. મંગલમય યોગા ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222