Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 208
________________ પ્રકારે પન થતું રહ્યું નથી તાર કરીને કે કર્યો, અસત્ય કરતાં તો અચકાયો નહિ અને કંઈ કારણ વગર ચોરી કરતો રહ્યો. બ્રહ્મચર્ય જેવા સદાચાર તો તે સેવ્યા નહિ. અને ગમે તે પ્રકારે પરિગ્રહ વધારી તેની મૂચ્છમાં જકડાઈ ગયો. આમ ઘણા પ્રકારે પાપનું સેવન થતું રહ્યું કારણ કે તે તેના દુઃખદ પરિણામથી અજ્ઞાન હતો, પરંતુ જગત નિયમથી ચાલે છે. કરેલાં કર્તવ્યોનું પરિણામ નિશ્ચિતપણે આવે જ છે. તેમાં તું કેમ કરીને બાકી રહી શકીશ ? માટે વિચારવું કે મારે શા માટે પાપનું સેવન કરી દુઃખનું પોટલું બાંધવું ? માનવજન્મ મળ્યાથી તને દુઃખ દૂર કરવાનાં સાધનો મળ્યાં છે, તે સાધનોને સાધ્ય કરી સુખની પ્રાપ્તિ કરજે. પણ પાપની વૃદ્ધિ ન કરતો. सप्तधातुमये श्लेष्ममूत्रायशुचिपूरिते ।। शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ॥ १९६ ॥ ભાવાર્થ : સાત ધાતુઓથી વ્યાપ્ત, શ્લેષ્મ, મૂત્ર, આદિ અશુચિથી ભરેલા શરીરમાં પણ તને કેવી જાતની પવિત્રતાનો આગ્રહ છે, કે જે પાપને માટે થનાર છે. વિવેચન : ભાઈ ! તું બુદ્ધિમાન છે. શું શરીરની રચના જાણતો નથી કે ત્વચાથી મઢેલા આ શરીરમાં શું ખજાનો ભર્યો છે ? એ યંત્ર નિરંતર લોહી, માંસ, હાડકાં, પરસેવો, વીર્ય, મળ, મૂત્ર સાત ધાતુઓથી ચાલ્યા જ કરે છે. તું ભલે મનગમતા સુંદર પદાર્થો આ યંત્રમાં નાંખે પણ તેમાંથી આ સાત ધાતુઓ જ નિપજે છે. રસગુલ્લા, જલેબી કે કચોરીનો દેખાવ ત્યાં જુગુણિત બને છે, તેનો સ્વાદ વિકૃત બને છે. વળી ઈન્દ્રિયોનાં લક્ષણ પણ કેવાં કે તું જે જે સારા પદાર્થો આપે તેને તે મલિન કરી નાંખે. ધાર કે તું દેહને સુગંધી વિલેપન લગાડે, સુંદર સાબુ વડે સ્વચ્છ કરે પણ એ વળી પરસેવા વડે પુનઃ મલિન થઈ જાય છે. એટલું જ નહિ પણ તે તે સુંદર પદાર્થો દેહને સ્પર્શીને મલિન બને છે. કેવું વિચિત્ર કહેવાય ? જો કાનમાં મંગલમય યોગ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222